ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મણિપુર એકમના પ્રમુખ અસ્કર અલીના ઘરને રવિવારે રાત્રે ટોળાએ આગ લગાવી દીધી હતી. કારણ કે તેણે વકફ એમેન્ડમેન્ટ એક્ટનું સમર્થન કર્યું હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી. અલીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ કાયદા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાત્રે લગભગ 9 વાગે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા, તોડફોડ કરી હતી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ અલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતાના અગાઉના નિવેદન માટે માફી માંગી હતી. તેમણે આ કાયદા સામે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.દિવસની શરૂૂઆતમાં, વકફ સુધારા કાયદા વિરુદ્ધ ઇમ્ફાલ ખીણના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લીલોંગમાં નેશનલ હાઈવે-102 પર ટ્રાફિકને ખોરવીને પાંચ હજારથી વધુ લોકોએ રેલીમાં ભાગ લીધો હતો.