રાષ્ટ્રીય
બિશ્ર્નોઇ ગેંગની ખુલ્લી ચેલેન્જ, મુંબઇ પોલીસની હાલત બગડશે
મુંબઈમાં શનિવારે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવાઈ એ ઘટનાએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ પેદા કરી દીધો છે. સાથે સાથે એકનાથ શિંદે સરકારની ક્ષમતા સામે પણ પ્રશ્ર્નાર્થ ઊભો કરી દીધો છે કેમ કે સિદ્દીકી સત્તાધારી મોરચાના નેતા હતા. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ માટે તો વધારે શરમજનક વાત એ છે કે, લોરેન્સ બિશ્ર્નોઈએ ડંકે કી ચોટ પર એલાન કરીને બાબા સિદ્દીકીની હત્યા કરી છે. લોરેન્સ બિશ્ર્નોઈએ બાબા સિદ્દીકીને સીધી ધમકી નહોતી આપી પણ સલમાન ખાનને ધમકી આપી હતી. બિશ્ર્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે. લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાનને આ મહાપાપ બદલ જોધપુર આવીને બિશ્ર્નોઈ સમાજની મહાપંચાયત સામે માફી માગવા કહેલું. મુંબઈ પોલીસનું નાક વાઢી લેતાં લોરેન્સે મુંબઈ પોલીસને નવી ચેલેન્જ ફેંકી દીધી છે. લોરેન્સ બિશ્ર્નોઈએ બાબા સિદ્દીકીની હત્યા પછી તેની જવાબદારી પોતે લીધી છે.
લોરેન્સના દાવા પ્રમાણે, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયેલું. અનુજ થાપને આપઘાત કરી લીધો હતો એવો પોલીસનો દાવો છે પણ લોરેન્સ ગેંગ આ વાત સ્વીકારવા તૈયાર નથી. લોરેન્સ બિશ્ર્નોઈએ એલાન કર્યું છે કે, પોતે સલમાન ખાન સામે જંગ કરવા નહોતો માગતો પણ સલમાને વિકલ્પ છોડ્યો નથી તેથી હવે જંગ થશે. બાબા સિદ્દીકીની હત્યા દાઉદ ઈબ્રાહીમ સાથેના સંબંધોના કારણે થઈ છે અને દાઉદ સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિ હવે મરશે. મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્ર્નોઈની ચેલેન્જ સામે શું કરી શકે છે એ સવાલ છે કેમ કે લોરેન્સ નાનો ટપોરી નથી પણ મોટો ગેંગસ્ટર છે. મુબઈના અંડરવર્લ્ડમાં વરસોથી દાઉદ ઈબ્રાહીમની ગેંગનું વર્ચસ્વ છે. વચ્ચે વચ્ચે ઘણા ગેંગસ્ટર આવી ગયા પણ દાઉદનો દબદબો યથાવત છે.
ધનિકો પાસેથી ખંડણી ઉઘરાવવાથી માંડીને તમામ પ્રકારના ગેરકાયદેસર ધંધામાં હજુય મુંબઈમાં દાઉદનું વર્ચસ્વ છે. લોરેન્સ બિશ્ર્નોઈએ એ વર્ચસ્વને ખતમ કરવાની ચેલેન્જ આપી છે તેના કારણે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાના નવા પ્રશ્ર્નો ઊભા થશે. લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ દેશભરમાં મોટા મોટા અપરાધો કરી રહી છે અને તેનું નેટવર્ક ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. આતંકવાદ સામે લડતી નેશનલ એજન્સી એનઆઈએ જે રીતે દાઉદ ઈબ્રાહીમની પાછળ પડેલી છે એ જ રીતે એનઆઈએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. એનઆઇએ એ ટેરર કેસમાં લોરેન્સ બિશ્ર્નોઈ સામે જે ચાર્જશીટ મૂકી છે એ પ્રમાણે, લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની આતંકવાદી સિન્ડિકેટ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહી છે. બિશ્ર્નોઈ ગેંગનું સામ્રાજ્ય પહેલા પંજાબ સુધી જ સીમિત હતું પણ ધીરે-ધીરે બિશ્ર્નોઈએ તેને વિસ્તારવાનું શરૂૂ કરી દીધું. બિશ્ર્નોઈએ ગોલ્ડી બ્રાર સાથે હાથ મિલાવીને એક મોટી ગેંગ ઊભી કરી દીધી.
આ કારણે બિશ્ર્નોઈ ગેંગનું નેટવર્ક માત્ર પંજાબ જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી વિસ્તરી ચૂક્યું છે. આ રાજ્યોમાંથી શૂટર્સને મોકલીને બિશ્ર્નોઈ પોતાનાં કામ કરાવે છે તેથી તેને અંકુશમાં રાખવો અઘરો છે. મુંબઈ પોલીસ માટે આ ગેંગ મોટો પડકાર બની શકે છે. કેટલાક લોકો માને છે કે, લોરેન્સ બિશ્ર્નોઈ એનઆઈએનું જ પ્યાદું છે અને તેના ઈશારે જ દાઉદ ઈબ્રાહીમ ગેંગનો ખાતમો કરવા મેદાનમાં આવ્યો છે. લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનું નેટવર્ક રશિયા, અમેરિકા, પોર્ટુગલ, યુએઇ અને અજરબૈજાન સુધી ફેલાયેલું છે. તેનો ઉપયોગ એનઆઈએ કરી રહ્યું છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ એવું હોય તો મુંબઈ પોલીસ માટે તો વધારે મોટી ચેલેન્જ છે કેમ કે દાઉદ ઈબ્રાહીમનું નેટવર્ક મુંબઈમાં પણ ફેલાયેલું છે. મુંબઈમાં જ તેના સૌથી વધારે માણસો છે એ જોતાં લોરેન્સનું પહેલું ટાર્ગેટ તો મુંબઈ જ હશે.
રાષ્ટ્રીય
ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા
લખનૌ, કોલકાતામાં ડિરેકટરોની પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે લખનૌમાં સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઊઉના અધિકારીઓ સહારા ગ્રુપના ડિરેક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ગઈ કાલે ઊઉએ સહારા ગ્રુપ સાથે સંકળાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય કોલકાતામાં પણ ચિટફંડ સંબંધિત એક કેસમાં દરોડા પાડવાની માહિતી મળી છે.
EDની ટીમે લખનઉના કપૂરથલા સ્થિત સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ઊઉની પશ્ચિમ બંગાળ યુનિટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કંપનીના બે ડિરેક્ટરોની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ઓફિસમાં આવવા-જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સહારા ઈન્ડિયાએ ઈન્ડિયા કોઓપરેટિવ સોસાયટીમાં 25,000 કરોડ રૂૂપિયા જમા કરાવવાનો દાવો કર્યો હતો, જેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ચિટ ફંડ સ્કીમ દ્વારા રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી છે.
રાષ્ટ્રીય
મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા
મૃતકોમાં માતા, બે પુત્રી આને પ્રૌત્રીનો સમાવેશ
મથુરામાં ગુરૂૂવારે સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપએ કાબૂ ગુમાવતાં વિજળીના થાંભલા સાથે ટક્કર વાગી ગઇ હતી. અકસ્માતમાં 2 મહિલાઓ અને 2 બાળકીઓના મોત થયા છે. તો બીજી તરફ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર પિકઅપમાં કુલ 25 લોકો સવાર હતા. તમામ લોકો બિહારના પલવલ મજૂરી કરવા જઇ રહ્યા હતા. ટક્કર લાગતાં જ ગાડીમાં કરંટ આવી ગયો હતો, જેથી ડરીને લોકો આમ તેમ કૂદવા લાગ્યા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે ગાડી પાછળ લીધી તો 4 લોકો કચડાઇ ગયા. આ અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
પોલીસ મથક કોસી કલા ક્ષેત્રમાં શેરગઢ રોડ પર સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બિહારના ગયા જિલ્લા રહેવાસી ગૌરી દેવી (ઉ.વ. 35) અને પુત્રી કોમલ અને કુંતી દેવી ( ઉ.વ. 30) અને કુંતી દેવીની પુત્રી પ્રિયંકા (ઉ.વ. 2 ) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોમાં કાજલ, જીરા, માના, ગંગા અને સત્યેન્દ્રનું નામ સામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પિકઅપ જ્યારે થાંભલા સાથે ટકરાઇ તો તેમાં કરંટ આવ્યો. કરંટથી બચવા માટે સવાર લોકો બહાર નિકળી ગયા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે પિકઅપને પાછળ કરી, જેમાં કેટલાક લોકો ચગદાઇ ગયા હતા. આ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગાડીમાં સવાર તમામ લોકોને મજૂરી કામ માટે બિહારથી બોલાવવામાં આવ્યા હતા. ઇંટના ભટ્ટા પર કામ કરવા માટે તમામ લોકો બિહારના ગયાથી ટ્રેન વડે અલીગઢ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને પિકઅપ દ્વારા મથુરાના કોસીમાં આવેલા ઇંટના ભટ્ટા પર લઇ જવામાં આવી રહ્યા હતા.
રાષ્ટ્રીય
બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ
સિવાન અને છપરા જિલ્લાની ઘટના, મૃત્યુઆંક વધવાની સંભાવના
બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. જ્યારે કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.
છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના અકઝઋ ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
ઝેરી દારુ પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 06154-24 2008 જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘટના અંગે તેમજ મૃતક લોકો અંગે તુરંત સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો છે અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
વિપક્ષે ઝેરી દારૂૂ પીવાથી અનેક લોકોના મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર પ્રહોરો કર્યો હતો. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે, ઝેરી દારૂૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુ:ખદ અને ચિંતાની વાત છે કે દારૂૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે.
કેવી રીતે લોકો ઝેરી દારૂૂના કારણે મૃત્યુ પામે છે.
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો કે, દારૂૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે અને જ્યાં સુધી તેમને સરકારનું રક્ષણ છે. દારૂૂબંધી અમલમાં છે પરંતુ દારૂૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. એનડીએ સરકારને આની ચિંતા નથી.
-
ક્રાઇમ5 hours ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય24 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય1 day ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
ગુજરાત1 day ago
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
-
ગુજરાત1 day ago
શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
-
ગુજરાત1 day ago
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
-
ગુજરાત1 day ago
શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા
-
ગુજરાત1 day ago
ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો