ભાવનગર
ભાવનગરના ઘોઘાગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કેદની સજા
બે વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા ગામે મિલ્કત બાબતે થયેલ લડાઈ ઝઘડામાં ઉશ્કેરાયેલા કાકાએ ધારીયા વડે હુમલો કરી ભત્રીજાની હત્યા કરી નાખતા આરોપી કાકા સામે જે તે સમયે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ દિપકભાઈ પટેલ ઉ.વ.27, રહે. મામલવાડા ઘોઘા ના પતિ તથા તેના સગા કાકા સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ ઉ.વ.50 રહે. માલમવાડા,ઘોઘા બંન્ને વચ્ચે વડીલોપાર્જીત જમીન તથા મકાનનો વિવાદ ચાલતો હોય જેથી અવાર નવાર બોલાચાલી થતા ગત તા. 24/09/2021ના રોજ ફરીયાદના પતિ માર્શલભાઈ દિપકભાઈ પટેલ માલઢોર લઈ ઘરે આવેલ આ વખતે ફરીયાદી ઘરે હાજર હોય આ વખતે આરોપી સુભાષભાઈ તેના ઘરની બહાર ઉભા હતા જે ફરીયાદીના પતિને જોઇને એમ બોલેલ કે તું કેમ મારી સામે કતરા છો ? તો ફરીયાદીના પતિ માર્શલભાઈ એ કહેલ કે હું તારી સામે શું કામ કતરા છો ? તેમ કહેતા તહોમદાર સુભાષભાઈ ફરીયાદીના પતિ સાથે બોલાચાલી કરવા લાગેલ અને તેના ઘર પાસે પડેલ ધારીયુ લઇને આવેલ અને ઘારીયાનો એક ઘા માર્શલભાઈ ના માથાના ભાગે મારતા માથા માંથી લોહી નીકળવા લાગેલ અને તે નીચે પડી ગયેલ આ વખતે ફરીયાદી દોડીને વચ્ચે પડતા તહોમતદારે ધારીયુ મારવા જતા ફરીયાદીને જમણા હાથના પોંચા ઉપર ઘારીયાનો ઘા કરી ઇજા કરેલ અને પછી તહોમદાર સુભાષભાઈ ફરીયાદના પતિને પણ આડેઘડ મારવા લાગેલ અને ફરીયાદના પતિને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યુ હતુ અને આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
જે તે સમયે ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ પટેલ ઘોઘા પો.સ્ટે. માં આરોપી સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજ જોષી ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ ઇપીકો કલમ 302 નીચે આજીવન કેદ અને રૂા. 10,000/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા તથા ઇ.પી.કો. કલમ 324 અન્વયે 2 વર્ષની સજા અને રૂા. 1000/- નો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સજા અને ગુજરાત પોલીસ અધિનીયમ કલમ 135 અન્વયે 7 દિવસની સજા અને રૂા. 100/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 દિવસની સખ્ત સજા અદાલતે ફટકારી હતી.
ગુજરાત
ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24X47માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ક્ધટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી 24ડ7 મળી શકે છે તેમજ કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગુઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે.
જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે.સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકાર્યું હતું. હાલ આ મશીનમાંથી ઘઉ અને ચોખા મળી રહ્યા છે.
ગુજરાત
ભાવનગરમાં 10 હજારનો ફાળો આપો કહી વેપારીની દુકાનોમાં લુખ્ખા તત્ત્વોની તોડફોડ
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: વેપારીઓમાં રોષ
શહેરના ડોન ચોક વિસ્તારમાં નવરાત્રીનો ફાળો ઉઘરાવવા આવેલા લોકોએ વેપારીઓને માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસ કંન્ટ્રોલને જાણ કરવા ફોન કરતા ફોન ઉપાડ્યો નહી જ્યારે બી ડિવીઝનમાં રૂૂબરૂૂ ગયેલા વેપારીઓને તેમનો માત્ર ફોન નંબર લઇ તગેડી મુક્યા હતા. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ તંત્રએ ફરિયાદ પણ નહી લેતા વેપારીઓમાં રોષ વ્યાપેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ડોન ચોક વિસ્તારમાં કેટલાક લોકો મેઘાણી સર્કલમાં નવરાત્રીની ઉજવણી કરવાના છે તેમ કહી ફાળો ઉઘરાવવા નિકળ્યા હતા.વેપારીઓ દર વર્ષની જેમ 1000 રૂૂપિયાનો ફાળો આપવા તૈયાર હતા પણ ઓછામાં ઓછા 10,000નો ફાળો આપવાનું દબાણ કરતા વેપારીઓએ ના પાડી દેતા આ લુખ્ખા તત્વોએ વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી.
આ અંગે પોલીસ કંન્ટ્રોલે 100 નંબર પર ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે ત્રણ વેપારી બી ડિવીઝન પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જતા ઇન્ચાર્જ પી.આઇ.એ ફરિયાદ કે, અરજીની જરૂૂર નથી તેમ કહી વેપારીઓના ફોન નંબર લઇ તેમને તગેડી મુક્યા હતા એમ વેપારીઓએ જણાવેલ છે. આ અંગેના સીસીટીવી ફુટેજ પણ વેપારીઓ પાસે ઉપલબ્ધ છે. જ્યારે આ બનાવ અંગે પી.આઇ. જે.કે.ડામોરે જણાવ્યું હતું કે, વેપારીઓએ કરેલી ફરિયાદ બાબતે તપાસ ચાલી રહી છે. વેપારીઓએ તેઓ પોલીસ સ્ટેશન આવશે તેમ જણાવ્યું છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત
ભાવનગરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં ઘવાયેલા યુવાનનું મોત
બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેનમાં ધોળા જંક્સન ખાતે ચાલુ ટ્રેને ઉતારવા જતા એક શખ્સનું મોત નિપજ્યુ હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેન ધોળા જંકશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચી રહી હતી ત્યાં એક શખ્સ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લપસતાં ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. બનાવ બનતા જ રેલવે પોલીસ તેમજ આરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
જાણવા મળ્યા મુજબ રાહુલસીંગ ભીમસીંગ ઉ.વ.32 રહે.લુધિયાણા,પંજાબ નામના પરપ્રાંતીય શખ્સને બોટાદ સ્ટેશને ઉતારવાનું હતું પરંતુ તે સુઈ રહેતા ધોળા આવી ગયું હતું અને ધોળા ખાતે પ્લેટફોર્મ નંબર 2 ઉપર બાંદ્રા ટ્રેન પહોંચી ત્યાંજ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લાપસી ગયો હતો અને ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન લાઠીદડ ગમે લોખંડ કટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે રેલવે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું