આસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી…

મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગ આઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરી દીધા છે. તેમાં નક્કી કરવામાં આવેલી એલીમની એટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

કોર્ટે પોતાના આદેશમાં નારાયણ સાંઈને નિર્દેશ આપ્યો કે તે પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણના રૂૂપમાં 2 કરોડ રૂૂપિયાની એક સાછે ચુકવણી કરે. નોંધનીય છે કે નારાયણ સાંઈ વર્તમાનમાં સુરતની જેલમાં બંધ છે, જ્યાં તે દુષ્કર્મના એક ગંભીર મામલામાં આજીવન કેદની સજામાં બંધ છે. જેલમાં હોવા છતાં તેને કાયદાકીય રીતે પોતાની પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર માનવામાં આવ્યો છે.

જાનકી અને નારાયણ સાંઈ વચ્ચે આ વિવાદ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. લાંબી કાયદાકીય કાર્યવાહી, સાક્ષીઓના નિવેદન અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મહિનાની શરૂૂઆતમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જાનકીના વકીલ અનુરાગ ગોયક અનુસાર બધા કાયદાકીય પાસાના અભ્યાસ બાદ કોર્ટેનો તે નિષ્કર્ણ હતો કે હવે આ લગ્નને જારી રાખવાનું કોઈ મહત્વ રહી ગયું નથી. અરજીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર નારાયણ સાંઈ અને જાનકીના લગ્ન વર્ષ 2008મા થયા હતા. પરંતુ આ લગ્ન સંબંધ વધુ સમય સુધી સુખદ રહ્યો નહીં. વર્ષ 2013મા જ્યારે નારાયણ સાંઈ સામે ગુના નોંધાયા અને તેની ધરપકડ થઈ, ત્યારથી બંને અલગ-અલગ રહે છે. જાનકીએ કોર્ટમાં પોતાની વ્યથા જણાવતા નારાયણ સાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *