વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ તાજેતરમાં જ જોયું છે કે ભારતની ક્ષમતા શું છે. અમે બતાવ્યું છે કે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે કોઈ પણ જગ્યા સુરક્ષિત નથી. જે લોકો લોહી વહેવડાવશે તેમને છોડવામાં આવશે નહીં. અમે 22 મિનિટમાં દુશ્મનને ઘૂંટણિયે પાડી દીધા.
પીએમ મોદી મંગળવારે દિલ્હીમાં શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, તાજેતરમાં જ દુનિયાએ ભારતની ક્ષમતા જોઈ. ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની સ્પષ્ટ નીતિ આખી દુનિયા સામે આવી. અમે બતાવ્યું છે કે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત સ્થાન નથી. આજનું ભારત ફક્ત તે જ પગલાં લે છે જે શક્ય છે અને જે રાષ્ટ્રીય હિતમાં યોગ્ય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુના સિદ્ધાંતો માનવતા માટે એક મહાન વારસો છે. દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્પ સાથે કામ કરનારાઓ માટે, શ્રી નારાયણ ગુરુ એક દીવાદાંડી જેવા છે. તમે બધા જાણો છો કે હું વંચિત અને શોષિત સમુદાય સાથે કેટલો ઊંડો સંબંધ રાખું છું. એટલા માટે આજે પણ જ્યારે હું વંચિત અને શોષિત સમાજ માટે કોઈ મોટો નિર્ણય લઉં છું, ત્યારે મને ગુરુદેવ યાદ આવે છે.
તેમણે કહ્યું, શ્રી નારાયણ ગુરુ હંમેશા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા હતા. અમારી સરકાર પણ મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ સાથે આગળ વધી રહી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ, આપણા દેશમાં ઘણા ક્ષેત્રો હતા જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. અમે આ પ્રતિબંધો દૂર કર્યા. મહિલાઓને નવા ક્ષેત્રોમાં અધિકારો મળ્યા. આજે, કોર્ટથી લઈને અવકાશ સુધી, દીકરીઓ પોતાનું નામ રોશન કરી રહી છે. શ્રી નારાયણ ગુરુએ ભેદભાવ મુક્ત સમાજની કલ્પના કરી હતી.
મને સંતોષ છે કે આજે દેશ સંતૃપ્તિ અભિગમને અનુસરીને ભેદભાવના દરેક અવકાશને દૂર કરી રહ્યો છે.
ભારતની વિશેષતા એ છે કે જ્યારે પણ આપણો દેશ મુશ્કેલીઓના વમળમાં ફસાઈ જાય છે, ત્યારે દેશના કોઈ ખૂણામાં કોઈ મહાન વ્યક્તિત્વનો જન્મ થાય છે અને સમાજને નવી દિશા બતાવે છે. કોઈ સમાજના આધ્યાત્મિક ઉત્થાન માટે કામ કરે છે, તો કોઈ સામાજિક ક્ષેત્રમાં સામાજિક સુધારાઓને વેગ આપે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંરક્ષણ જરૂૂરિયાતો માટે ભારતની વિદેશી દેશો પર નિર્ભરતા સતત ઘટી રહી છે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યા છીએ. ઓપરેશન સિંદૂરમાં પણ આપણે તેની અસર જોઈ. આપણા દળોએ ‘મેડ ઇન ઇન્ડિયા’ શસ્ત્રોની મદદથી માત્ર 22 મિનિટમાં દુશ્મનોને ઘૂંટણિયે પાડી દીધા. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પમેડ ઇન ઇન્ડિયાથ શસ્ત્રો આખી દુનિયામાં ઓળખાશે.
