હિમાની નરવાલ હત્યા કેસમાં કથિત પ્રેમીની ધરપકડ, બ્લેકમેઇલ કરતો હતો

  કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહેવાલ છે કે સોમવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે હરિયાણાના…

 

કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહેવાલ છે કે સોમવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે હરિયાણાના રોહતક પાસે હાઈવે પર હિમાનીનો મૃતદેહ એક સૂટકેસમાંથી મળી આવ્યો હતો. આ હત્યાની તપાસ માટે પોલીસે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી.

હરિયાણા પોલીસે માહિતી આપી છે કે નરવાલ હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે નરવાલના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી તેના હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ તેના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.

સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હરિયાણાનો રહેવાસી છે અને તે હિમાની સાથે સંબંધમાં હતો. કોંગ્રેસ કાર્યકર કથિત રીતે તેણીને બ્લેકમેલ કરી રહ્યો હતો અને લાખો રૂૂપિયા પડાવી લીધા હતા. સૂત્રોનું એમ પણ કહેવું છે કે જે સૂટકેસમાં મૃતદેહ મળી આવ્યો હતો.

તે પણ હિમાનીની હતી. પરિવારના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નરવાલના ટૂંકા ગાળામાં રાજકીય ઉદયને કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેની ઈર્ષ્યા કરતા હતા.

નરવાલની માતા સવિતાએ રોહતકમાં પત્રકારો સાથે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે નરવાલના ટૂંકા ગાળામાં રાજકીય ઉદયને કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેમનો પુત્ર જતીન પણ તેમની સાથે હતો. સવિતાએ કહ્યું, પતે પાર્ટીમાં કોઈ વ્યક્તિ હોઈ શકે જે તેની પ્રગતિની ઈર્ષ્યા કરે છે અથવા તે કોઈ અન્ય હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *