દિલ્હીથી કોલકતા જતી AI ફલાઇટ રનવે પર અટકાવાઇ

  આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળતાં આજે કોલકાતા જતી એર…

 

આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળતાં આજે કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રદ કરવી પડી. પ્રારંભિક અહેવાલો મુજબ, રનવે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ખામી જોવા મળી હતી. દરમિયાન સાવચેતી રૂૂપે પાઇલટ્સે બ્રેક લગાવી અને ફ્લાઇટ રદ કરી, જેનાથી તમામ મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત થઈ.

ટેક-ઓફ રોલ દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળતાં દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ નંબર A12403 ટેક-ઓફ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. કોકપીટ ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરીને ટેક-ઓફ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

બાદમાં બધા મુસાફરો ઉતરી ગયા છે અને દિલ્હીમાં ગ્રાઉન્ડ સાથીઓ દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે. આ અણધારી વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુ:ખ છે. એર ઇન્ડિયામાં, મુસાફરોની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે તેમ એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *