જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી નજર સમક્ષ અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પત્નીને ઈજા થઈ છે.આ ગોઝારા અકસ્માત ના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા કિશોરભાઈ ગોવિંદભાઈ સવસાણી નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ ગઈકાલે સવારે 11.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પત્ની પુષ્પાબેન ને બેસાડીને પાટણ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન સામેથી આવી રહેલી જીજે -3 સી.આર 7408 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને દંપત્તિ બાઈક પરથી ફંગોળાયુ હતું.જેમાં કિશોરભાઈ ને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું સ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેમના પત્ની પુષ્પાબેનને પણ પગ અને કમરના ભાગે ઈજા થઈ હોવાથી ઘાયલ બન્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ મનસુખભાઈ ગોવિંદભાઈ સવસાણીયા પોલીસને જાણ કરતાં જામજોધપુરના પીએસઆઇ એમ.એલ ઓડેદરા પોતાના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલક ની શોધખોળ હાથ ધરી છે.