ગુજરાત
સંઘ વડા મોહન ભાગવત 17મીથી બે દિવસ ગુજરાતમાં
જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક લઇ રહ્યા છે.
તે સમયે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત તા.18થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.17ના સાંજે સુરત પહોંચશે અને બે દિવસ રોકાશે. તેઓ અહીં જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે અને પર્યાવરણ અંગેના એક પરિસંવાદમાં પણ હાજરી આપશે આ ઉપરાંત સંઘની શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ રહી છે જેમાં તેઓ ભાગ લેશે.
ગુજરાત
બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા
ટ્રાટફિકને અડચણરૂપ 7 પથારા, રેકડી કબજે: 15 વાહનો ડિટેઇન કરાયા
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં તહેવારોને અનુલક્ષીને આજે મોડી સાંજે ટ્રાફિક શાખા, સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના ભાગમાં પોલીસ અને એસ્ટેટ શાખા ની સંયુક્ત કામગીરીને લઈને ધંધાર્થીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂૂપ હોય એવા 7 પથારા કબજે કરી લેવાયા હતા, જ્યારે 1 રેકડી પણ કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂૂપ રીતે રાખવામાં આવેલા 15 વાહનો પણ ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.
જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ખુદ ટ્રાફિક ઝુંબેશનમાં જોડાયા હતા, અને તેઓની સાથે સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ આ ઝુંબેશમાં ખડે પગે રહી હતી, જયારે ટ્રાફિક શાખાના પી.આઇ. એમ. બી. ગજ્જરની સૂચનાથી પી.એસ.આઇ. કંડોરિયા અને ટ્રાફિક શાખાની ટીમ પણ સંયુક્ત રીતે ઝુંબેશ માં જોડાઈ હતી, અને દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી દેવાયો હતો.
જેથી સીટી બસ સહિતના અનેક વાહનો સાંજના સમયે સરળતાથી પસાર થઈ ગયા હતા. દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે ખૂબ જ ભીડ રહે છે, ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
ગુજરાત
હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ
કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને અઇટઙના કાર્યકર્તાઓએ આપી શ્રદ્ધાંજલિ
જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ જેઓ જામનગર ની પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા હતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી, તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગન નું ભ્રષ્ટ ફાયર થતા તેઓ વીરગતિ પામ્યા.
અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ મા વીરગતિ પામેલા જામનગર વી. એમ. મહેતા કોલેજ ના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલ ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ મેદાન મા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કોલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.
ગુજરાત
જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત
એકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ભરેલુ પગલું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના 65 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મકાન માલિક સામે ગુનો
જામનગર નજીક વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 26 જેટલા રૂૂમ કે જેમાં પર પ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાદુઆત ની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી અને બેદરકારી રાખવી હતી. જેથી પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની મકાનમાલિક હનીફ કરીમભાઈ ખફી સામે બી. એન. એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત