અમરેલી
રખડતા ઢોર, ટ્રાફિક અને દબાણ મુદ્દે હેલ્પલાઇન નંબર જાહેર કરો: હાઇકોર્ટ
અઈજ – ગૃહ એમ.કે. દાસ, શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિનીકુમાર કોર્ટમાં હાજર રહ્યાં
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાકગ-દબાણો મુદ્દે હાઇકોર્ટના વારંવારના હુકમોનું પાલન નહી થતાં થયેલી ક્ધટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં આજે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ્ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રૂૂબરૂૂ હાજર રહેવાની ફરજ પડી હતી.
જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે બંને સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને રાજય સરકાર, ટ્રાફ્કિ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીની નિષ્કાળજી અને ફરજમાં બેદરકારી પરત્વે વાકેફ્ કરી નાગરિકોની આ તમામ ફરિયાદો માટે એક રાજયવ્યાપી હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ બનાવવા સૂચન કર્યું છે. સાથોસાથ એવી પણ ટકોર કરી હતી કે, જો સરકાર કામ કરે તો શહેરમાં ટ્રાફિક, પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ આવી જ જાય.
ખંડપીઠે યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ કરવા અને નાગિરકોને હાલાકીની ફરિયાદ ના રહે તે પ્રકારે ઉપરોકત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લવાય તે જોવા હાજર સરકારના બંને ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી. હાઈકોર્ટે સરકારના કોર્ટ રૂૂબરૂૂ હાજર રહેલા બંને ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ આપ્યો હતો કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવાછતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો આવ્યો નથી અને તમારા સરકારના, ટ્રાફ્કિ વિભાગના, અમ્યુકોના કે પોલીસ ઓથોરીટીના સત્તાવાળાઓ દ્વારા કોઇ જ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી. છ વર્ષ સુધી કંઇ થયુ નથી, તેથી હવે છ વર્ષ બાદ સોલ્યુશન નહી, અમલીકરણ જ કરવાનું હોય.
હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, કોર્ટમાં આ ક્ધટેમ્પ્ટ કેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કોર્ટને સત્તાવાળાઓ પાસે શું અપેક્ષા છે…? તે જણાવવા માટે આ બંને અધિકારીઓને કોર્ટ રૂૂબરૂૂ બોલાવાયા છે. ખંડપીઠે સરકારને બહુ મહત્ત્વની સીધી પૃચ્છા કરી હતી કે, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફ્કિ, બિસ્માર રસ્તાઓ, ખાડા-ભુવાઓ, રખડતા ઢોરોના ત્રાસ સહિતની સમસ્યાઓ મુદ્દે સમગ્ર રાજયમાં એક હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ હોવા જોઇએ, જેની પર નાગરિકો ગમે ત્યારે ફરિયાદ કરી શકે અને સત્તાવાળાઓ તેનો તરત જવાબ આપી તાત્કાલિક નિરાકરણ કરે. કોર્ટની આ પૃચ્છાના પ્રત્યુત્તરમાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, આવી હેલ્પલાઇન કે વેબસાઇટ તૈયાર કરવામાં દસેક દિવસ લાગે.
જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે વિકસિત રાષ્ટ્રો અને આપણાં ત્યાં રોડ-રસ્તા બનાવવાનો ખર્ચ કેટલો…?? સરકારે એકરાર કર્યો હતો કે, થોડા વરસાદમાં પણ રોડની સરફ્ેસ ઘસાઇ જાય કે ધોવાઇ જાય છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતમાં આવું થયા કરે છે. લોકોના ઘરની બહાર રોડ બને તે, રોડ તેમના ઘરના લેવલથી ઉપર બને અને તેથી વરસાદી પાણી ભરાય ત્યારે પાણી તેમના ઘરોમાં ઘૂસે છે એવી લોકોની ફરિયાદ છે.
48 કલાકમાં પડેલા વરસાદે બધી પોલ ખોલી દીધી છે: કોર્ટ
ખંડપીઠે સરકાર અને અમ્યુકો સત્તાધીશોને રોકડુ પરખાવ્યુ હતું કે, અમદાવાદમાં 24થી 48 કલાકમાં પડેલા 11 ઈંચ વરસાદમાં બધુ સ્પષ્ટ થઇ ગયુ છે(એટલે કે, તમામ વિસ્તારોમાં જળબંબાકાર અને ઉંડા ભરાયેલા વરસાદી પાણી વચ્ચે સત્તાવાળાઓની પોલ ખુલી ગઇ છે), અગાઉ પણ ગુજરાતમાં આવો વરસાદ પડયો જ છે. તમે યોગ્ય પ્લાનીંગ કરો છો કે કેમ તે પણ શંકા છે..? માત્ર ચાર ઇઁચ વરસાદમાં પણ નાગરિકો ભયંકર હાલાકીમાં મૂકાઇ જાય છે.
જૂના વિસ્તારમાં પાણી ભરાતું નથી, તમારા પ્લાનિંગમાં ખામી છે
સરકાર અને સત્તાવાળાઓનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, તમારા પ્લાનીંગમાં હજુ ખામી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં પાણી ભરાવાની બહુ સમસ્યા દેખાતી નથી. વડોદરામાં પણ જૂના વિસ્તારમાં બહુ તકલીફ્ જણાઇ નથી. જૂના વિસ્તારોમાં પાણી ભરાતુ નથી. રોડ-રસ્તાઓની કાળજીને લઇ હાઇકોર્ટે ટકોર કરી કે, બીટુમીંન અને પાણી એકબીજાના દુશ્મન એટલે વિકસિત રાષ્ટ્રોની જેમ હવે સિમેન્ટ-કોંક્રીટ (આરસીસી)ના રોડ બની રહ્યા છે.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ