આંતરરાષ્ટ્રીય
પિતાજીના સ્વપ્ન માટે અમેરિકાથી આહવાની સફર ખેડી ડો. નિરાલી પટેલે
વિદેશમાં વસી વતનની ચિંતા કરનાર ડો. અશોક પટેલે આહવામાં હોસ્પિટલ શરૂ કરતા પહેલાં જ કોરોનામાં વિદાય લીધી ત્યારે આ કામ પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું દીકરી ડો.નિરાલી પટેલે
આજથી દોઢ દાયકા પહેલાની વાત છે.અમેરિકાના બોસ્ટન શહેરમાં બનેલી આ સત્ય ઘટના કોઈ નવલકથા કે ફિલ્મની વાર્તાથી કમ નથી.એક ઇટાલિયન પેશન્ટ ભારતીય ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવે છે.તેને રાધાકૃષ્ણ પ્રિય એટલે આ વિષે બંને વાતો કરતા.અવારનવાર મળવાનું થતાં બંને વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ થઈ ગયો.થોડા સમયના અંતરાલ બાદ એ પેશન્ટ બીમાર થયા, અંતિમ ક્ષણોમાં વકીલની હાજરીમાં તે પોતાના પુત્ર જેવા ડોક્ટરને બોલાવે છે અને પોતાની બધી જ પ્રોપર્ટી એ ડોક્ટરના નામે કરે છે.
ભારતીય પરિવાર અને સંસ્કાર વચ્ચે ઉછરેલા ડોક્ટરના પિતાજી જણાવે છે કે અન્યની સંપત્તિ આ રીતે લેવી યોગ્ય નથી. તે પેશન્ટના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન કરે છે જેમાં લાંબા સમયથી છૂટા પડી ગયેલા પત્ની અને પુત્ર મળે છે પરંતુ તે લોકો પણ સંપત્તિ સ્વીકારવાનો ઇનકાર કરે છે અને અંતે ડોક્ટર આ સમગ્ર સંપત્તિ સદ્કાર્યમાં વાપરવાનો નિર્ણય કરે છે. તે પેશન્ટની અંતિમ ક્રિયા પણ ડોક્ટરે જ કરી અને અસ્થિ પધરાવવા ભારત આવે છે ત્યારે પોતાના વતન સુરત નજીક ડાંગ જિલ્લામાં સગવડતાનો અભાવ જુએ છે.
પૈસા તો હતા પરંતુ પરિશ્રમની આવશ્યકતા હતી.અમેરિકાથી સતત આવ-જા કરીને 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કાર્ય કર્યું,પરંતુ વિધાતાના ખેલની કોઈને ક્યાં ખબર પડે છે? આહવામાં હોસ્પિટલનું કામ પૂર્ણ થવામાં હતું ત્યાં જ કોરોનાના કઠિનકાળમાં ડોક્ટરે વિદાય લીધી અને તેમનું આ સ્વપ્ન પૂરું કરવાનું બીડું ઉઠાવ્યું તેમની નાની દીકરી ડો.નિરાલી પટેલે. અમેરિકામાં બેઠા બેઠા પણ વતનની ચિંતા કરનાર એ ડોકટર પિતા એટલે ડો.અશોક પટેલ.તેમની વિદાય બાદ અમેરિકાથી આહવાની ધરતી પર અનેક કઠિનાઈઓ વચ્ચે આજે ડો.નિરાલી પટેલ સફળતાપૂર્વક હોસ્પિટલની કામગીરી સંભાળે છે તે કાબિલેદાદ છે.
ડો.નિરાલી જણાવે છે કે, ‘24 ડિસેમ્બર 2020, કોવિડમાં પિતાજીએ વિદાય લીધી ત્યારે તેમના અંતિમ સમયમાં હું એક જ તેમની પાસે હતી એ મને ભગવાનનો સંકેત લાગ્યો અને એટલે જ તેમનું આ સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો. જે સ્ત્રીએ હજુ હમણાં જ પતિ ગુમાવ્યો હતો તે પોતાની દીકરીને પોતાનાથી દૂર જવા દેવા માગતી નહોતી પરંતુ માતા સરોજબેન પટેલને અમે બંને બહેનોએ લાગણીથી સંભાળ્યા.ત્રણ મહિનાના સમયની મહોલત લઈ હું ગુજરાત આવી અને મોટી બહેન ડો.નતાશાએ અમેરિકામાં પિતાનું ક્લિનિક સાંભળ્યું. આહવાની જમીન પર પગ મૂકતાં જ જાણે પિતાજીના સ્મરણો વધુ ઉત્કટતાથી અનુભવાયા અને ગમે તે થાય અહીં જ કામ કરવા મન મક્કમ કર્યું પરંતુ સ્વપ્નાઓથી જોજનો દૂર એવી હકીકતનો સામનો કરવાનું ખૂબ કઠિન હતું.’
સામાન્ય લોકો માટે બનાવાયેલ વનબંધુ આરોગ્યધામનું બાકી રહેલ કામ પૂરું કરવા ડો.નિરાલીને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. સૌપ્રથમ અહીંના લોકોની માનસિકતા સમજવામાં મુશ્કેલી પડી કારણકે કોઈ બીમાર પડે તો ડોક્ટર પાસે જવા કરતા ચર્ચના પાદરી પાસે કે પછી ભગવાનનું શરણ લેતા. બીજું સંસ્થા કે હોસ્પિટલ ચલાવવાનો અનુભવ નહોતો. બધા ડોક્યુમેન્ટસ પિતાજીના નામે હોવાથી તે પ્રક્રિયામાં પણ ઘણી તકલીફો આવી પરંતુ જાણે કોઈ અદૃશ્ય શક્તિ મદદ કરતી હોય તેમ ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું.
શરૂઆતમાં એક નર્સ અને એક લેબ ટેક્નિશિયન સાથે ક્લિનિકની શરૂૂઆત કરી જેથી લોકો સારવાર માટે આવી શકે, ત્યારબાદ ધીમે ધીમે અન્ય ડોક્ટર અને સંસ્થાઓ જોડાતા ગયા અને પેશન્ટ પણ આવવા લાગ્યા. જ્યાં પ્રાથમિક સારવારનો પણ અભાવ હતો ત્યાં હોસ્પિટલ સાથે ડોક્ટર નિરાલી આંખ, દાંત, સર્જિકલ એમ જુદા જદા કેમ્પ કર્યા. એક સમયે પિતાજી બિલકુલ ફ્રીમાં દવા આપતા ત્યારે લોકોને તેની કિંમત નહોતી અને દવા રસ્તા પર ફેંકી દેતા જેના કારણે હાલ તેઓ નોમીનલ ફી સાથે સારવાર કરે છે. જે લોકો બિલકુલ ખર્ચ કરી શકે તેમ ન હોય તેને નિ:શુલ્ક પણ સારવાર આપે છે. એક સમયે ત્રણ વ્યક્તિ સાથે શરૂૂ કરેલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ 30 લોકોનો સ્ટાફ છે. લોકોનો પ્રેમ પણ ખૂબ મળે છે. ઘણી વખત ફ્રીમાં દવા લઈ જતી વ્યક્તિ ફરી આવે ત્યારે નાની પોટલીમાં જુદા જુદા અનાજ લાવે છે ત્યારે નિરાલી ખરેખર લાગણીશીલ થઈ જાય છે અને એ સ્વીકારીને તેનું માન રાખે છે.
અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે દરરોજ નવા પડકાર આવે છે પરંતુ શરૂૂઆતનો સમય યાદ કરું ત્યારે અત્યારની મુશ્કેલી ખૂબ નાની લાગે છે. હોસ્પિટલને બધી સવલતોથી સજ્જ કરવા માટે એક્સ-રે, સોનોગ્રાફી મશીન સહિતના ખર્ચ માટે બહેન, પિતાજીના મિત્રો, તેમજ પરિવારજનો નિયમિત રીતે આર્થિક મદદ કરે છે. પિતાજીના સ્વપ્નને પૂર્ણ કરવા આહવાને પોતાનું બનાવનાર ડો. નિરાલી પટેલને આ સ્વપ્ન ક્યારે પોતાનું બની ગયું તે ખબર પણ ન પડી.ભવિષ્યમાં તેઓ આ હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ બનાવવા માગે છે અને ટીચિંગ ઇન્સ્ટિટયૂટ પણ શરૂ કરવા માગે છે. ડો. નિરાલી પટેલને તેમનું સ્વપ્ન સાકાર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા……
એક અજાણ્યા પેશન્ટે પોતાનું વસિયતનામું કોઈ સ્વાર્થ વગર ડોક્ટરના નામે કર્યું અને શરૂ થયો સેવા અને સત્કાર્યોનો આ યજ્ઞ
WRITTEN BY : BHAVNA DOSHI
આંતરરાષ્ટ્રીય
પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ
અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.
કઈ કોર્ટમાં કેસ છે?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.
શું છે મામલો?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI
ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું
અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.
આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.
ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.
એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ