Connect with us

રાષ્ટ્રીય

કેન્દ્રના બજેટમાં બે જ રાજ્યોને લાભ, નાણામંત્રી ધર્મ ચૂક્યા

Published

on

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને લહાણી કરાઈ અને બીજાં રાજ્યોની સાવ અવગણના કરાઈ એ મુદ્દો ચગ્યો છે. આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતાં સંસદની બહાર અને ગૃહમાં અંદર એમ બંને ઠેકાણે ભારે દેકારો મચાવી દીધો છે. વિપક્ષોનો આક્ષેપ છે કે, નિર્મલાના બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર એ બે રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ જ જાહેરાતો કરવામાં આવી નથી. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં સરકારના માથે બરાબરમાં માછલાં ધોયાં. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગેએ તો કટાક્ષ કર્યો કે, બજેટમાં ફક્ત બે રાજ્યોની થાળીમાં પકોડા દેખાય છે અને બીજાં રાજ્યોને કશું મળ્યું નથી.

આ બજેટ માત્ર ભાજપના સહયોગીઓને સંતોષવા માટે છે અને સરકારે બીજા કોઈને કંઈ આપ્યું નથી. વિપક્ષોએ આ મામલે રાજ્યસભામાંથી વોકઆઉટ પણ કરી દીધો અને સંસદની બહાર પણ ધરણાં કર્યાં. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદની બહાર ભાજપ સરકારે બીજાં રાજ્યોને અન્યાય કર્યો હોવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યો સિવાય બીજાં રાજ્યોને કશું અપાયું જ નથી. આ બિલકુલ અન્યાય છે ને તેનો બચાવ થઈ શકે તેમ જ નથી પણ ભાજપના નેતા ને સરકારના મંત્રી તરીકે એ બીજું કશું બોલી શકે તેમ નથી. મોદીભક્તિ કરીને ટકેલા પીયૂષ ગોયલ પાસે એ સિવાય આરો નથી તેથી તેમને માફ કરી દેવાય પણ નિર્મલા સીતારમણે જે વાત કરી એ આઘાતજનક છે. નિર્મલાના કહેવા પ્રમાણે, દરેક બજેટમાં દરેક રાજ્યનો ઉલ્લેખ કરાય એ જરૂૂરી નથી ને એ શક્ય પણ નથી.

કોઈ રાજ્યનો ઉલ્લેખ ના કરાય તેનો મતલબ એ નથી કે, આ રાજ્યો કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો નથી મેળવી રહ્યાં. આ દેશનાં નાણાં પ્રધાન તરીકે નિર્મલા સીતારમણની ફરજ હતી કે, તમામ રાજ્યોને સરખા હિસ્સે બધું વહેંચે. કેન્દ્ર સરકાર પાસે જે પૈસો આવે છે એ આખા દેશમાંથી આવે છે અને તેમાંથી કેન્દ્રનું બજેટ બને છે. આ બજેટમાં બધાં રાજ્યોને હિસ્સો મળવો જોઈએ, બે રાજ્યો જ બધું લઈ જાય એ ના ચાલે. દેશનાં નાણાં પ્રધાન તરીકે વર્તવાના બદલે મોદીની સત્તાલાલસા સંતોષવા માટેનો હાથો બનનારાં નિર્મલા દેશના નાણાં પ્રધાન તરીકેનો પોતાનો ધર્મ ચૂક્યાં છે. તેના માટે લાજવાના બદલે એ ગાજી રહ્યાં છે એ જોઈને આઘાત લાગે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી

Published

on

By

રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમમાં ચાકુ અને લાકડીઓથી હુમલો કરવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગ ઈકાલે મોડી રાત્રે બની હતી જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કામદારો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડીસીપી (વેસ્ટ) અમિત કુમારે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”

મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે શરદ પૂર્ણિમાના દિવસે કેટલાક લોકો ખીર વહેંચી રહ્યા હતા. મંદિરમાં ભજન અને કીર્તન ચાલતા હતા. એક વ્યક્તિએ આનો વિરોધ કર્યો. કહ્યું- કીર્તન બંધ કરો. આ મુદ્દે જ ઝઘડો શરૂ થયો હતો. એ માણસનો દીકરો પણ ત્યાં આવ્યો. પછી થોડી જ વારમાં પિતા-પુત્ર છરીઓ વડે લડવા લાગ્યા. હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે. તેને તાત્કાલિક એસએમએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

તે જ સમયે, આ ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને સિવિલ લાઇનના ધારાસભ્ય ગોપાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઘાયલોની હાલત પૂછી. પોલીસે કહ્યું- મંદિરમાં ડીજેના તાલે ભજન કીર્તન ચાલી રહ્યું હતું. આ અવાજથી મંદિરની નજીક રહેતા લોકો પરેશાન થઈ ગયા હતા. નસીબ ચૌધરીનું ઘર પણ મંદિરની પાસે જ છે. તે ત્યાં પહોંચ્યો. તેમણે મંદિરમાં હાજર લોકોને ડીજે અને કીર્તન બંધ કરવા કહ્યું. આ બાબતે બંને જૂથો સામસામે આવી ગયા હતા.

આરોપી પોલીસ કસ્ટડીમાં છે

નસીબ અને તેના પુત્રએ ફરીથી મંદિરમાં હાજર લોકો પર છરી વડે હુમલો કર્યો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. ડીસીપી અમિત કુમારે કહ્યું- બંને આરોપી પિતા-પુત્ર પોલીસની કસ્ટડીમાં છે. તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘાયલોએ શું કહ્યું?

ઘાયલોએ જણાવ્યું – અમે મંદિરમાં ભજન-કીર્તન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ અમને આમ કરતા રોક્યા. આ બાબતે જ અમારી તેમની સાથે દલીલ થઈ હતી. પરંતુ ગુસ્સામાં તે છરી લાવ્યો. તેમનો પુત્ર પણ તેમની સાથે હતો. બંનેએ અમારા પર છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું.

Continue Reading

રાષ્ટ્રીય

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાનની હાલત’, મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ, 5 કરોડ રૂપિયા પણ માંગ્યા

Published

on

By

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવ્યો છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. આ મેસેજમાં સલમાન ખાન પાસેથી લોરેન્સ બિશ્નોઈ સાથેની તેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આને હળવાશથી ન લો નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચે જૂની દુશ્મનાવટ
લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. આ ટોળકી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે. થોડા મહિના પહેલા લોરેન્સ ગેંગના સાગરિતોએ પણ તેના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. બાબા સિદ્દીકીની હત્યાને પણ સલમાન સાથે જોડવામાં આવી રહી છે. બાબા સિદ્દીકી સલમાન ખાનના સારા મિત્ર હતા. સલમાન ખાન પહેલેથી જ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે.

બાબા સિદ્દીકીની હત્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરી છે પરંતુ સલમાન ખાનને ડરાવી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતાના પરિવાર વતી નજીકના લોકો અને મિત્રોને અભિનેતાને મળવા ન જવાની વિનંતી કરવામાં આવી છે. તેમની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે
નવી મુંબઈ પોલીસે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દીધી છે. વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે જે ફાર્મ હાઉસની અંદર અને બહાર તૈનાત રહેશે. બિશ્નોઈ ગેંગ આ પહેલા પણ ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી ચૂકી છે પરંતુ તેઓ ક્યારેય ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં સફળ થયા ન હતા, બલ્કે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું.

શૂટર સુખાની ધરપકડ, સલમાનને મારવા માંગતો હતો
તાજેતરમાં નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના પાણીપતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર સુખાની ધરપકડ કરી છે. નવી મુંબઈ પોલીસમાં સુખા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સુખા પર બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનો આરોપ છે. સુખા એવા આરોપીઓમાં સામેલ છે જેમણે નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસની રેકી કરી હતી.

સલમાનના ફાર્મ હાઉસ પર હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં સુખા મુખ્ય આરોપી હતો. કહેવાય છે કે બિશ્નોઈ ગેંગે સલમાન ખાનની હત્યા માટે 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શૂટર સુખાને શૂટઆઉટની જવાબદારી મળી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

Published

on

By

આસામમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિબાલોંગ સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે તે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન છે. આ અકસ્માત આજે બપોરે 3.55 કલાકે થયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ટ્રેનના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલ્વે પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

અગરતલા અને મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેન દિબાલોંગ સ્ટેશન પરથી પસાર થતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરવાનું કારણ હાલમાં તપાસ હેઠળ છે અને અધિકારીઓ અન્ય સેવાઓમાં વિક્ષેપ ઘટાડવા માટે અસરગ્રસ્ત ટ્રેકને સાફ કરવા માટે કામ કરી રહ્યા છે. રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની વધુ મદદ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અકસ્માત બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય રેલવેએ વધુ માહિતી અથવા સહાય મેળવવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. કોઈપણ વ્યક્તિ 03674 263120 અને 03674 263126 પર સંપર્ક કરીને અકસ્માત સંબંધિત માહિતી અથવા મદદ મેળવી શકે છે. રેલવે અધિકારીઓ વૈકલ્પિક માર્ગો અને પુનઃનિર્ધારિત સેવાઓ વિશે અપડેટ્સ તપાસવા માટે મુસાફરોનો પણ સંપર્ક કરી રહ્યા છે.

દુર્ઘટનાની માહિતી મળ્યા પછી, આસામના સીએમ હિમંતા વિશ્વ શર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેણે પોતાની નોંધ પર લખ્યું, ‘ટ્રેન નંબર 12520 અગરતલા-એલટીટી એક્સપ્રેસના 8 ડબ્બા આજે 15:55 કલાકે લુમડિંગ નજીક ડિબ્લોંગ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા. મુસાફરોને કોઈ મોટું નુકસાન થયું નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. અમે રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યા છીએ અને રાહત ટ્રેન ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. લમડિંગમાં હેલ્પલાઇન નંબર 03674 263120 અને 03674 263126 સેટ કરવામાં આવ્યા છે.

Continue Reading
રાષ્ટ્રીય32 seconds ago

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી

રાષ્ટ્રીય21 mins ago

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાનની હાલત’, મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ, 5 કરોડ રૂપિયા પણ માંગ્યા

રાષ્ટ્રીય15 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય15 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય16 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports16 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત16 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત16 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત16 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય16 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

ક્રાઇમ21 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય18 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય2 days ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય2 days ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત2 days ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત2 days ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત2 days ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત2 days ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત2 days ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

ગુજરાત2 days ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

Trending