Sports
T-20 વર્લ્ડ કપ-2024માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર, ICCને મળ્યું લાંબુ લિસ્ટ
અમેરિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને તેમની ટીમ પર આરોપ
ટી-20 વર્લ્ડકપ 2024ની મેજબાની યુનાઈટેડ સ્ટેટ અમેરિકાએ કર્યું હતું. પરંતુ વર્લ્ડકપ 2024 પૂરો થયાને એક મહિના પછી વર્લ્ડ કપમાં ભષ્ટ્રાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આરોપ અમેરિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકે અને તેમની ટીમ પર લગાવવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે પોતાની પાવરનો ખોટો ઉપયોગ કર્યો હતો. ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે યુએસએ ક્રિકેટના ડાયરેક્ટર કુલજીત સિંહ, અર્જુન સોના અને પેટ્રિશિયા વિટટેકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ઈંઈઈ)માં આ અંગે ઇમેલ કર્યો હતો.
આઇસીસીને મોકલવામાં આવેલ ઈમેલમાં વેણુ પિસિકે પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે બીજા ડાયરેક્ટર માટે મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ઈઊઘ નૂર મુરાદને ખોટી રીતે ખસેડવામાં આવ્યા હતા. આ ઈમેલમાં ખોટી રીતે કરવામાં આવેલ નિમણૂક કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ સાથે બીજા પણ આરોપ લગાવતા જણાવ્યું કે, પિસિકે ખોટી રીતે ચુંટણીની લાલચ રાખીને ગેરકાયદેસર રીતે બંધારણીય સુધારા કર્યા અને ભષ્ટ્રાટાર કર્યો હતો.
આ વિવાદ અહીં શાંત નથી થતો કેમ કે ઈંઈઈને લખવામાં આવેલ ઈમેલમાં ડાયરેક્ટર અને તેમની સાથે નાના પદના કર્મચારીઓને નોકરી માંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. આ ઈમેલમાં એક સ્ટેટમેન્ટ પણ જોડવામાં આવ્યું હતું કે, અમને નાના પદ પર કામ કરતા કર્મચારીઓને નોકરી માંથી કાઢી મૂકવાનું દબાણ કરવામાં આવ્યું હતું. અને જો અમે તેમની વાત ન માનીએ તો તે અમારી વિરુદ્ધ કડક પગલાં લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. અહીં સુધી કે વર્ષ 2023માં વ્હીટેકરને હટાવવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઇમેલમાં આરોપીઓનું એક લાંબુ લિસ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં મેમ્બરશિપ મેનેજમેન્ટ કંપનીના સિલેક્શનને લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. જેને લઈને 3 કંપનીઓએ એપ્લિકેશન મોક્યા હતા. જેમાં એક કંપનીના માલિક યુએસએ ક્રિકેટ ચેરમેન વેણુ પિસિકેના સારા મિત્ર છે. આ ઈમેલમાં બીજા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે ચેરમેન અને તેમની ટીમ આખા સિસ્ટમને ભષ્ટ્રાચાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેનો સીધો ઉદ્દેશ પોતાના પર્સનલ લાભ મેળવવાનો છે.
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ