ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અંગે ભારતે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામનું ભારતે સ્વાગત કર્યું છે. ભારતે કહ્યું છે કે, “અમે યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ આનાથી પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપિત કરશે.”
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, “અમે યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે મિડલ ઈસ્ટમાં સ્થાયી શાંતિ તરફ દોરી જશે. જે રીતે અમે અગાઉ સતત હિમાયત કરી છે, તેમ ચાલુ સંઘર્ષનો વહેલી તકે અંત લાવવા માટે તણાવમાં ઘટાડો, સંવાદ અને મુત્સદ્દીગીરી અનિવાર્ય છે. આ સંઘર્ષને કારણે લોકોએ પહેલેથી જ અપાર વેદના ભોગવી છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠો તેમજ વેપાર નેટવર્ક ખોરવાઈ ગયા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે હોર્મુઝ જળમાર્ગ દ્વારા નેવિગેશનની અબાધિત સ્વતંત્રતા અને વૈશ્વિક વાણિજ્યનો પ્રવાહ જળવાઈ રહેશે.”
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં નોંધ્યું: “આ સંઘર્ષથી લોકોને ભારે દુઃખ થયું છે, અને વૈશ્વિક ઉર્જા પુરવઠો તેમજ વેપાર નેટવર્ક ખોરવાઈ ગયા છે. અમને આશા છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક વાણિજ્ય દ્વારા નેવિગેશનની અવિરત સ્વતંત્રતા ચાલુ રહેશે.”
