તાજેતરમાંગુજરાત સરકારે મોરબી શહેરી વિકાસ સત્તામંડળના નોન-ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણમાં મોટી રાહત જાહેર કરી હતી. જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ રાહત રદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જુના આદેશને પગલે કરાયેલ કોઈ પણ કાર્યવાહી પણ રદ કરવા સૂચના અપાઈ છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 1 જાન્યુઆરી, 2026ના રોજ જારી કરેલા પરિપત્રમાં જાહેર કર્યું હતું કે નવસારી, મોરબી, આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ, સુરેન્દ્રનગર-વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડીયાદ જેવા શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારો (ડી2એ કેટેગરી)માં નોન ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % રાખવામાં આવ્યા હતા. જેમાં તા. 31/03/2027 સુધી રાહત આપવામાં આવી છે. તા.30/04/2026 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને સત્તામંડળમાં ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં તા.ર3/06/2025 પહેલાની જે તે સત્તામંડળની કેટેગરી મુજબ નોન ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ઘોરણ ધ્યાને લેવાનુ રહેશે.
તા.01/0પ/2026 થી તા.31/10/2026 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % ને બદલે ર0 % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.23/06/2025 પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશન ર0 % લેવાનું થાય છે તેને બદલે 10 % ધ્યાને લેવાનુ રહેશે.
તા.09/11/2026 થી તા.31/03/20ર7 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % ને બદલે 30 % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.23/06/2025 પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશન ર0 % લેવાનું થાય છે તેને બદલે 15 % ધ્યાને લેવાનુ રહેશે. તા.09/04/2027 થી તમામ વિસ્તારોમાં સી.જી.ડી.સી.આર.ની ડી2 કેટેગરી મુજબની રેગ્યુલેશન નં. 6.17.4 ની તમામ જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
આ રાહત આપતો પરિપત્ર થયાના થોડા જ દિવસોમાં સરકારે બીજો પરિપત્ર જાહેર કરી રાહત પરત ખેંચી લીધી છે. ઉપરાંત જુના પરિપત્રના આધારે જે કાર્યવાહી કરવામાં આવી હશે તેને પણ રદ કરવાની સૂચના જારી કરી છે
