ગુજરાત
તમારા સાંસદના કામથી ખુશ છો? વિકલ્પે કોને ટિકિટ આપી શકાય?
લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવી રણનીતિ અપનાવી છે અને નમો એપ દ્વારા સરકારની કામગીરી સાથે લોકો પાસેથી તેમન સાંસદોની કામગીરીના અભિપ્રાયો પણ મેળવવામાં આવી રહ્યા છે પરંતુ નમો એપ દ્વારા મતદારોને પુછવામાં આવેલા કેટલાક પ્રશ્ર્નોથી સાંસદોની ચિંતામાં વધારો થયો છે.
નમો એપમાં લોકો સાંસદની કામગીરીથી કેટલા ખુશ છે? અત્યારના સાંસદો સિવાય બીજા વિકલ્પ કયા? તમારા વિસ્તારમાં સાંસદને કયારે જોયા હતા? વિગેરે સવાલોથી ભાજપના અનેક સિટીંગ સાંસદોનું ટેન્શન વધ્યું છે.
નમો એપ દ્વારા જનતાના મનની વાત સીધી ભાજપ હાઇકમાન્ડ સુધી પહોંચતી હોવાથી ઘણા સાંસદોને પોક્ષ ખુલી જવાની પણ ચિંતા છે. ખાસ કરીને જે સાંસદોએ માત્ર દિલ્હી દરબારમાં જ ‘આંટાફેરા’ કર્યા છે અને જનતા સાથે સીધા જોડાયેલ નથી તેવા સાંસદોને ટિકિટ કપાઇ જવા સુધીનો ભય છે. ભાજપના આ સરવેથી અમુક સંસદ સભ્યોની લોકપ્રિયતાનો પરપોટો ફૂટી જાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
ભારત સંકલ્પ યાત્રાનો દોર અત્યારે શરૂૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારના ભાજપ સાંસદો પાસેથી ફીડબેક લેવા માટેની એક અનોખી પદ્ધતિ અપનાવી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં એ જ વ્યક્તિને સાંસદની ટીકીટ મળશે કે જનતાની અપેક્ષા પર ખરા ઉતરશે.
ભાજપના સાંસદો જે કામકાજ કરે છે તેનું મુલ્યાંકન કરવા માટે પાર્ટી નમો એપનો ઉપયોગ કરવાનો પ્લાન કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાએ હાલમાં જ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. આ સર્વેમાં કોઈ વિસ્તારના લોકો તેમના સાંસદ વિશે શું વિચારે છે. સાંસદના કામથી તેઓ કેટલા ખુશ છે કે નહીં તે અંગેનો લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવે છે.
નમો એપના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો કે ભાજપના ક્યા સાંસદ સાથે તેમની જનતા કેટલી મજબુતી સાથે તેની સાથે ઉભી છે. આ સંબંધમાં કુલ 15 સવાલ પુછવામાં આવ્યાં છે.. નમો એપથી ક્ષેત્રોમાં સર્વે કરાવવામાં આવી રહ્યો છે.. જન્તા પોતાના મનની વાત શેર કરશે. ભાજપના નમો એપ પર કરવામાં આવેલા સર્વેને લોકો સાથે શેર કરવામાં આવશે.. જેથી તે સ્પષ્ટ થશે કે સાંસજની જમીની પકડ કેટલી છે.
નમો એપ દ્વારાએ પરખ કરવામાં આવશે કે જનતા સાંસદોના કામથી ખુશ છે કે નહીં. સાથે સામાન્ય મતદારોને પણ પૂછવામાં આવ્યું છે કે અત્યારના સાંસદ સિવાય તેમની પાસે બીજો ક્યા વિકલ્પ છે. આ સર્વે દરમિયાન એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે છેલ્લે ક્યારે તમારા વિસ્તારમાં તમારા સાંસદને જોયા હતાં. જો જનતાના મનમાં કોઈ નવો ઉમેદવાર હોય તો તેઓ નામ શેર કરી શકે છે.
વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીને લઈને સીધો જ જનતા સાથે સંવાદ કરી રહી છે. નમો એપ પર જનતા પોતાના સાંસદ વિશે પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. આમ કુલ મળીને આ અભિયાનના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપના સાંસદો તેના જ વિસ્તારમાં કેટલા લોકપ્રિય છે. તેનું પ્રદર્શન કેટલુ સરાહનીય છે. જેના આધાર પર આગામી ચૂંટણીમાં તેને સાંસદ માટેની ટિકિટ મળી શકશે.
ભાજપના જૂથો વચ્ચે તરફેણમાં અને વિરૂદ્ધમાં અભિપ્રાયો આપવા સ્પર્ધા
દેશભરમાં મજબૂત રાજકીય પક્કડ ધરાવતા ભાજપમાં હાલ અંદરખાને જોરદાર જૂથવાદ ચાલી રહ્યો છે પરંતુ ‘ઉપરવાળા’ની બીકના કારણે કોઇ ખૂલીને બહાર આવતુ નથી ત્યારે નમો એપ દ્વારા ભાજપે શરૂ કરેલા સરવેમાં વર્તમાન સાંસદો પોતાની તરફેણમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરો સમક્ષ હાથ જોડી રહયા છે અને પોતાના કામો પણ ગણાવી રહ્યા છે જ્યારે સાંસદોના વિરોધી જૂથો અથવા લોકસભાની ટિકિટની લાઇનમાં છે તેવા લોકો વર્તમાન સાંસદોની વિરૂદ્ધમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરોને ભંભેરી રહ્યા છે. પરિણામે હાલના તબક્કે નમો એપ ઉપર ભાજપનું આંતરીક રાજકારણ ભારે ગરમાગરમ જોવા મળી રહ્યું છે. કાર્યકરો સિવાય મતદારો પાસે પણ નમો એપ ઉપર અભિપ્રાયો રજુ કરવા પાયલાગણ ચાલી રહ્યું છે. જેના કારણે હાલ તો ભાજપના કાર્યકરો અને મતદારોના ભાવ ઉંચકાઇ ગયા છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ