કાલાવડમાં યુવાનનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આઈ.ટી.આઈ પાસે ઝૂંપડું બાંધીને રહેતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના 26 વર્ષના દેવીપુજક યુવાને ગઈકાલે પોતાના ઝુપડામાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા…

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આઈ.ટી.આઈ પાસે ઝૂંપડું બાંધીને રહેતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના 26 વર્ષના દેવીપુજક યુવાને ગઈકાલે પોતાના ઝુપડામાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો આંત લાવી દીધો છે.આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિલીપ રાયધનભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના એ.એસ.આઇ વી.ડી. ઝાપડિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *