વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામનો રસ્તો નેશનલ હાઇવેથી ગામ સુધીનો 500 મીટર અતિ બિસ્માર હાલતમાં છે અને આ રોડ ધણાં સમય થી આ બિસ્માર હાલતમાં છે આ ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ રોડ ઉપર સોનારીયા ગામ સહિત અનેક ગામો આવે છે જેમા નાવદ્રા,ઈદ્રોય, પંડવા,કોડીદ્રા,માથાસુરીય,સવની, ઈશ્વરીયા,ભેરાળા અને મોટો વાડી વિસ્તાર આવેલ છે અને તાલાલાને જોડતો રસ્તો છે જેથી આ રોડ ઉપર સતત વાહનો અવર જવર થતાં હોય છે જેથી આ રસ્તો ખુબજ મહત્વનો હોવાથી તાત્કાલિક રીપેરીંગ કરવા સોનારીયા ગામના સરપંચ લીલીબેન મોહનભાઈ સોલંકી દ્વારા કલેકટર અને અન્ય લાગતાવળગતા અધિકારીને રજૂઆત કરી અને તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવા માંગણી કરવામાં આવેલ છે.
