અમદાવાદમાં ફરી તથ્ય કાંડ જેવી ઘટના બનતા અટકી છે. એક નશાખોર સગીર વયના કાર ચાલકે જમાલપુરમાં અકસ્માતની હારમાળા સર્જી એક રીક્ષા અને ત્રણ એકટીવાને હડફેટે ચડાલતાં આ અકસ્માતમાં મહિલા અને બે બાળકોને ઈજા થઈ હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અકસ્માત એક સગીર કાર ચાલકે કર્યો છે. 1 રિક્ષા અને 3 એકટીવાને કાર ચાલકે ટક્કર મારી સર્જ્યો અકસ્માત સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક માત્ર સગીર જ નહોતો પરંતુ તે નશાની હાલતમાં પણ હતો. આ ઘટના બનતાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમણે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ ઊ ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસ એ પણ ચકાસી રહી છે કે કાર ચાલક ખરેખર સગીર છે કે કેમ અને તે નશાની હાલતમાં હતો કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવનારાઓ સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને સગીરો દ્વારા વાહન ચલાવવાની અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વધી રહી છે. જો આ પ્રકારના બનાવો પર અંકુશ નહીં આવે તો ભવિષ્યમાં વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.
