ફાઇટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, તેની મંગેતર પણ અંતિમ સંસ્કારમાં હાજર રહી હતી. મંગેતરે રડતા રડતા કહ્યું કે, મને એકવાર ચહેરો જોવા દો. આ દરમિયાન ભારત માતા કી જય અને સિદ્ધાર્થ યાદવ અમર રહોના નારા ગુંજી રહ્યા હતા. પિતરાઈ ભાઈ સુધીર યાદવે અંતિમ સંસ્કાર કર્યા હતા.
સિદ્ધાર્થ યાદવે 23 માર્ચે જ સગાઈ કરી હતી. સિદ્ધાર્થ યાદવના અંતિમ સંસ્કારમાં આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકો હાજર રહ્યા હતા. સિદ્ધાર્થ યાદવની અંતિમ યાત્રામાં રહેલા તેમના મૃતદેહને જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા. સિદ્ધાર્થ યાદવ તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. 31 માર્ચે, તેમણે રજા પૂર્ણ કરી અને ફરજ માટે ગુજરાત પાછા ફર્યા હતા. 2 માર્ચના રોજ જામનગરમાં વાયુસેનાના જગુઆર ફાઇટર પ્લેનના દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. માતા સુશીલા યાદવે એરફોર્સ કેપ પહેરાવીને પોતાના પુત્રને અંતિમ વિદાય આપી. આ દરમિયાન સિદ્ધાર્થની માતાની હાલત જોઈને બધા ભાવુક થઈ ગયા.
