માલવિયાનગર PIએ ઉચાપતના કેસમાં ભરેલી સી-સમરી રદ કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમ

રાજકોટમાં ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂૂપિયા બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાની એકાઉન્ટન્ટ સામે નોંધાયેલી ફરિયાદમાં માલવિયાનગર પોલીસ…

રાજકોટમાં ઋષિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂૂપિયા બે કરોડ જેવી માતબર રકમ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાની એકાઉન્ટન્ટ સામે નોંધાયેલી ફરિયાદમાં માલવિયાનગર પોલીસ સ્ટેશને ગુનો બનતો નથી, એવા મતલબનો કરેલો સી સમરી રિપોર્ટ ફોજદારી કોર્ટે નામંજૂર કરી પોલીસ દ્વારા ફેરતપાસનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ફરીયાદી વ્રજેશભાઈ પરસોતમભાઈ ગઢીયાએ તેની માલિકીની રૂૂષિ એન્ટરપ્રાઈઝ પેઢીનું એકાઉન્ટ સંભાળતા કર્મચારી બાલકૃષ્ણ પ્રવીણભાઈ ગઢીયા (રહે. સેટેલાઈટ પાર્ક, મવડી ગામ પાસે, રાજકોટ)એ પેઢીમાં અંદાજે રૂૂપિયા બે કરોડ ખોટી રીતે ઉધારીને ઓળવી જઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-409, 420 મુજબની ફોજદારી ફરીયાદ નોંધાવી હતી.

જે ફરિયાદની તપાસમાં પોલીસ ઇન્સપેકટર જે.આર. દેસાઈએ અદાલત સમક્ષ એવો રિપોર્ટ કરેલ કે, આરોપી બાલકૃષ્ણ ગઢીયાના બેંક એકાઉન્ટની સરકારી નિમણુંક પામેલ સી.એ. દ્વારા ખરાઈ કરતાં તેની રવિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી સને 2017થી 2022 દરમ્યાન કટકે કટકે રૂૂપિયા 40થી 45 લાખ જમા થયેલા અને આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલાને તેના અંગત કામ સબબ રૂૂપિયાની જરૂૂરીયાત હોય જેથી તેના પિતાએ જરૂૂરીયાત મુજબ રૂૂપિયા આપેલા અને રૂૂપિયાની સગવડ થઈ જતાં તેના પિતાના કહેવા મુજબ તેના પિતાના બેંક ખાતામાં તથા તેના ભાઈ કલ્પેશ અને પત્ની હિનાબેનના બેંક ખાતામાંથી આ રૂૂપિયા પરત આપી દીધેલ, જેથી આ ઉચાપતનો કેસ નથી તેમ જણાવી સી-સમરીનો રિપોર્ટ અદાલત સમક્ષ રજુ કર્યો હતો. જે રિપોર્ટ સામે વ્રજેશભાઈ પરસોતમભાઈ ગઢીયાએ તેમના એડવોકેટ અર્જુન પટેલ મારફતે સી-સમરી મંજુર થવા સામે લેખિત વાંધા રજુ કરી મૌખિક દલીલો કરેલી રજૂઆત પોલીસ કમિશ્નરને ફરીયાદીએ કરતા પોલીસ કમિશ્નરે તા. 21/ 06/ 2024ના રોજ તપાસ પી.આઈ. ડી.સી.બી.ને સોંપવાનો હુકમ કર્યો હતો, તેમ છતાં માલવિયાનગરના પી.આઈ.એ સી-સમરીનો રિપોર્ટ અદાલતમાં રજૂ કરેલો. જે હકીકતો, પુરાવા અને એડવોકેટ અર્જુન પટેલની દલીલો ધ્યાને લઈ અદાલતે સી-સમરી નામંજુર કરી પોલીસ કમિશનરની સુચના મુજબ આ ગુનાનું ઈન્વેસ્ટીગેશન ક્રાઈમ બ્રાંચ, રાજકોટ શહેરને કરવા માટે આદેશ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન, સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા તથા જતીન ડી. પાંભર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *