પાકિસ્તાનમાં હિંસા બેકાબૂ, નિ:શસ્ત્ર નાગરિકો ઉપર લશ્કર તૂટી પડ્યું, પીટીઆઈના કાર્યકરોને ઈમારતો ઉપરથી ફેંક્યા
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાંબેકાબુ હિંસામાં પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફના કાઉન્સેલર અબ્દુલ કાદિરખાન સહિત 12 લોકોના મોત થયા છે. 47 વધુ ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિની માંગ સાથે રાજધાનીમાં કૂચ કરી છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલ તમામ સુરક્ષા કોર્ડન તોડીને વિરોધીઓ આગળ વધી રહ્યા છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. મોડી રાત્રે તહરીક-એ-ઇન્સાફે ઇસ્લામાબાદના ડી-ચોકની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને એક્સ પર એક પોસ્ટ કરી હતી.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નિર્દોષ નિ:શસ્ત્ર પ્રદર્શનકારીને ક્ધટેનર પરથી સશસ્ત્ર અર્ધલશ્કરી દળોએ નિર્દયતાથી ખૂબ ઊંચાઈથી નીચે ફેંકી દીધો હતો. આ ભયાનક કૃત્ય આ શાસન અને તેના સુરક્ષા દળોની સંપૂર્ણ નિર્દયતા અને ફાસીવાદને દર્શાવે છે, જેઓ તેમના રસ્તામાં આવનાર કોઈપણ નાગરિકને કચડી નાખે છે.
પીટીઆઈએ ઈસ્લામાબાદ વોર ઝોનમાં ફેરવાઈ ગયો હોવાનો વીડિયો શેર કર્યો છે. સુરક્ષા દળો નિ:શસ્ત્ર નાગરિકો પર ક્રૂર બળનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ સૌથી કાળો સમય છે. ઈમરાનના પક્ષે કહ્યું કે સુરક્ષા દળોએ ઈસ્લામાબાદના ડી-ચોકની આસપાસ ક્ધટેનર, કાર અને અન્ય જાહેર સંપત્તિને સળગાવવાનું શરૂૂ કરી દીધું છે. સ્નાઈપર્સ, ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને કચડી નાખવામાં આવી રહ્યા છે.
પીટીઆઈએ ડ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક ડઝન નિર્દોષ દેખાવકારોના મૃત્યુની પુષ્ટી થઈ છે, જ્યારે સેંકડો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર, રાજધાનીની હોસ્પિટલોમાં સતત મોતના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ડ પર એક પોસ્ટમાં કહ્યું કે 3 નિર્દોષ દેખાવકારોના મોતની પુષ્ટી થઈ છે, જ્યારે 47 ઘાયલ થયા છે. સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરી રહી છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
છેલ્લા બોલ સુધી લડો ઈમરાન ખાનનો સંદેશ
દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કર્યો હતો, જેમાં તેણે દેશવાસીઓ અને પીટીઆઈ કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તેની ટીમને સંદેશ છે કે તેઓએ છેલ્લા બોલ સુધી લડવું જોઈએ, અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પાછા હટશે નહીં. ગૃહમંત્રી મોહસિન નકવી પર આરોપ લગાવતા ઈમરાન ખાને કહ્યું કે તેમના નિર્દેશ પર સુરક્ષા દળોએ નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી, જેના કારણે ઘણા નાગરિકો શહીદ થયા.
