સૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે: હાઇકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા મહિલાઓની ધરપકડ પર કાનૂની નિયંત્રણો કડક રીતે ફરજિયાત નથી, પરંતુ કાયદાનું…

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા મહિલાઓની ધરપકડ પર કાનૂની નિયંત્રણો કડક રીતે ફરજિયાત નથી, પરંતુ કાયદાનું પાલન કરતી એજન્સીઓ માટે તે માત્ર દિશાનિર્દેશ છે. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ એમ. જોતિરામનની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ જોગવાઈઓ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સાવચેતીનાં પગલાં છે, પરંતુ જો તેનું ઉલ્લંઘન થાય તો તે આપોઆપ ધરપકડને ગેરકાયદેસર ઠેરવતી નથી. તેમ છતાં, આવા કિસ્સામાં અધિકારીઓએ નિયમોનું પાલન ન કરવા માટે યોગ્ય કારણો રજૂ કરવાના રહેશે.

કોર્ટે નોંધ્યું હતું કે કાયદો સામાન્ય સંજોગોમાં રાત્રે મહિલાઓની ધરપકડ પર પ્રતિબંધ મૂકે છે. અપવાદરૂૂપ કિસ્સાઓમાં, ન્યાયિક મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદામાં અસાધારણ સંજોગો શબ્દને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી.

સલમા વિરુદ્ધ રાજ્ય કેસનો સંદર્ભ આપતા, કોર્ટે જણાવ્યું કે અગાઉ એક સિંગલ જજે મહિલાઓની ધરપકડ સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે આ માર્ગદર્શિકાને અધૂરી ગણાવી હતી અને પોલીસ અધિકારીઓ માટે વધુ સ્પષ્ટતાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કોર્ટે પોલીસ વિભાગને સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે કે કયા સંજોગોમાં મહિલાઓની રાત્રે ધરપકડ કરી શકાય છે. વધુમાં, કોર્ટે રાજ્ય વિધાનસભાને ભારતીય કાયદા પંચના 154મા અહેવાલમાં સૂચવ્યા મુજબ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 43 માં સુધારો કરવાની ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *