રાષ્ટ્રીય પુરસ્કારમાં ભારતીય ટેલિવિઝન કેમ બાકાત?: રૂપાલી

અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલીનો બળાપો તાજેતરમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી કારણ કે શાહરૂૂખ ખાન (જવાન માટે…

અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલીનો બળાપો

તાજેતરમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી કારણ કે શાહરૂૂખ ખાન (જવાન માટે શ્રેષ્ઠ અભિનેતા), રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રી) અને વિક્રાંત મેસી (12મી ફેઇલ માટે શ્રેષ્ઠ અભિનેતા) જેવા કલાકારોને તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ટેલિવિઝન સ્ટાર રૂૂપાલી ગાંગુલીએ, જે અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતી છે, તેનો મોટો મત હતો. તેમણે પૂછ્યું કે રાષ્ટ્રીય પુરસ્કારોમાં ભારતીય ટેલિવિઝનને હજુ પણ કેમ અવગણવામાં આવે છે?

પાપારાઝી સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યુ ફિલ્મ સ્ટાર્સથી લઈને ક્ધટેન્ટ ક્રિએટર્સ સુધી, દરેક માટે રાષ્ટ્રીય પુરસ્કારો છે. પરંતુ ટીવી કલાકારો માટે કંઈ નથી. કોવિડ-19 મહામારી દરમિયાન પણ, અન્ય લોકો પાસે તેમના શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખવા અથવા શૂટિંગ પછી કરવાની સુવિધા હતી, પરંતુ અમે કામ કરતા રહ્યા. જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર સતત કામ કરે છે, ત્યારે તે હેડલાઇન્સ બનાવે છે. પરંતુ કોઈએ વાત કરી નહીં કે અમે, ટીવી કલાકારોએ, મહામારી દરમિયાન સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોન સ્ટોપ કેવી રીતે કામ કર્યું. હું સરકારને વિનંતી કરું છું કે અમારા વિશે પણ વિચારે.

તેણીએ વધુમા કહ્યુ સ્મૃતિ ઈરાની ક્યુંકી સાસ ભી કભી બહુ થી ની નવી સીઝન સાથે ટીવી પર પાછી ફરી છે અને તે મારા શો જેવી જ ચેનલ પર પ્રસારિત થઈ રહી છે. મને ખૂબ ગર્વ છે કે સ્મૃતિજી ટીવી પર પાછી ફરી છે, આ એક મોટી ઓળખ છે. તેમનું પુનરાગમન એક મોટો પરિવર્તન લાવશે અને દરેકની નજર ફરીથી ટીવી પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *