આપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJI

  હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અડચણભર્યો: ગવઇ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત…

 

હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અડચણભર્યો: ગવઇ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશમાં ફક્ત પરંપરાગત મુકદ્દમાબાજી આ ભારણ સહન કરી શકે નહીં. તેમણે બુધવારે કહ્યું હતું કે કાનૂની સહાય અને મધ્યસ્થી દ્વારા દરેક નાગરિક માટે ન્યાય સુનિશ્ચિત કરી શકાય છે.

તેમણે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનથ (SCBA) દ્વારા આયોજિત જસ્ટિસ ફોર ઓલ – લીગલ એઇડ એન્ડ મીડિયેશન: કોલાબોરેટિવ રોલ ઓફ બાર એન્ડ બેન્ચ વ્યાખ્યાનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અવરોધોથી ભરેલો હોઈ શકે છે.

દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોની વધતી જતી સંખ્યામાં બાર અને બેન્ચ બંનેની ભૂમિકા પર ભાર મૂકતા, CJI ગવઈએ કહ્યું કે જ્યારે કેટલાક હાઈકોર્ટના ન્યાયાધીશો ખરેખર મહેનતુ છે… કેટલાક એવા છે જેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક છે. તેમણે કહ્યું, આપણું બંધારણ દરેક નાગરિકને ન્યાય આપવાનું વચન આપે છે. છતાં વ્યવહારમાં, ન્યાયનો માર્ગ લાંબો અને જટિલ હોઈ શકે છે અને તેમાં ઘણા અવરોધો હોઈ શકે છે. ઘણા લોકો માટે, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સંવેદનશીલ સમુદાયોના લોકો માટે, નિષ્પક્ષ સુનાવણીની યાત્રા સામાજિક, આર્થિક અને ભૌગોલિક અવરોધો દ્વારા અવરોધિત છે.

CJIએ કહ્યું, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં, ન્યાય સુધીની પહોંચ પર તાજેતરમાં ધનિકોનો વિશેષાધિકાર રહ્યો છે. જ્યારે કાનૂની ફી માસિક આવક પર ભારે પડી જાય, જ્યારે પ્રક્રિયાઓ સાક્ષરતાની માંગ કરે છે જે લાખો લોકો માટે અધૂરી છે, જ્યારે કોર્ટના કોરિડોર સ્વાગત કરતાં વધુ ડરામણા બની જાય, ત્યારે આપણે કઠોર વાસ્તવિકતાનો સામનો કરીએ છીએ. આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા છે પરંતુ તેના દરવાજા તે લોકો માટે ખૂબ સાંકડા છે જેમની સેવા કરવા માટે તે બનાવવામાં આવ્યા હતા. જો ફક્ત એક પક્ષ તેની ફરિયાદો તેના પર તો ન્યાયના ત્રાજવા ઝુકી ના શકે.

 

બાર અને બેન્ચની સહયોગી ભૂમિકા
બાર અને બેન્ચની સહયોગી ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે વકીલોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે તેઓ ફક્ત વ્યક્તિગત અસીલોના પ્રતિનિધિઓ જ નથી પણ ન્યાયના રક્ષક પણ છે. ન્યાયાધીશોને ન્યાય, સમાનતા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની ગંભીર ફરજ સોંપવામાં આવી છે. સીજેઆઇ ગવઈએ ન્યાયના રથના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશો અને વકીલો વચ્ચે સુમેળ પર ભાર મૂક્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *