અદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિત

મણિપુર અને અદાણી જૂથ સામે લાંચના આક્ષેપોની ચર્ચાની માગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સંસદ બહાર અદાણી મામલે તપાસની માગણી સાથે ઉગ્ર…

મણિપુર અને અદાણી જૂથ સામે લાંચના આક્ષેપોની ચર્ચાની માગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સંસદ બહાર અદાણી મામલે તપાસની માગણી સાથે ઉગ્ર દેખાવો કર્યા


આવતીકાલે બંધારણ દિવસ હોવાથી હવે સત્ર 27 નવેમ્બર, બુધવારે મળશે. નીચલું ગૃહ બપોરે 12 વાગ્યે બોલાવ્યા પછી તરત જ પ્રિસાઇડિંગ ઓફિસર, સંધ્યા રેએ લોકસભામાં સત્રને બુધવાર સુધી સ્થગિત કરી દીધું. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ મણિપુર હિંસા અને અદાણી જૂથ સામે લાંચના આરોપો પર ચર્ચાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યા.


ગયા અઠવાડિયે, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા પાવર-સપ્લાય સોદાઓ સુરક્ષિત કરવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા માટે 265 મિલિયનની યોજનામાં તેમની કથિત ભૂમિકા બદલ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અદાણી મુદ્દે થયેલા હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી પણ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપલા ગૃહમાં વિપક્ષી સાંસદોએ અદાણી જૂથ સામે લાંચના આરોપોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી. ઉપલા ગૃહની બેઠક હવે બુધવારે ફરી મળશે.


સત્રના પ્રારંભે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ વર્ષે સંસદીય ચૂંટણીમાં જીતેલા બે સાંસદો સહિત ગૃહના વિદાય પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સત્ર એક કલાક માટે સ્થગિત કરી દીધું હતું. વિપક્ષી સભ્યોના વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે સત્ર 12 વાગ્યે પુન: બોલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સંસદનું સત્ર શરૂૂ થતાંની સાથે જ સરકારે જે પહેલું પગલું લેવું જોઈએ તે અદાણી ગાથા પર વિગતવાર ચર્ચા કરવી જોઈએ જે વૈશ્વિક સ્તરે ભારતની છબીને બગાડવાની ક્ષમતા ધરાવે છે.

જનતાએ 80 વખત નકારેલા લોકો સંસદ ચાલવા દેતા નથી: મોદી

આજે સંસદના શિયાળુ સત્રના પ્રારંભે સંસદ ગૃહ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 2024નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને દેશ 2025ની તૈયારી કરી રહ્યો છે. સંસદનું આ સત્ર ઘણી રીતે ખાસ છે અને સૌથી ખાસ વાત એ છે કે બંધારણના 75મા વર્ષની શરૂૂઆત છે. દરેક વ્યક્તિ બંધારણ સભા આવતીકાલે આપણા બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવશે. સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત પહેલા પીએમ મોદીએ સંસદ ભવનથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, જે લોકોને 80 વખત જનતાએ નકારી કાઢ્યા છે, તેઓ સંસદનું કામકાજ રોકે છે. કમનસીબે, કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત પહેલા પીએમ મોદીએ કહ્યું કે સંસદનું વાતાવરણ પણ ઠંડુ રહેશે, તે બંધારણનું એક મહત્વપૂર્ણ એકમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *