યુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના લોકર તોડીને કરોડો રૂૂપિયાની ચોરી કેસમાં લખનૌ અને ગાઝીપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ માર્યા ગયા છે. લખનૌમાં કિસાન…

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના લોકર તોડીને કરોડો રૂૂપિયાની ચોરી કેસમાં લખનૌ અને ગાઝીપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ માર્યા ગયા છે.

લખનૌમાં કિસાન પથ પર સોબિંદ કુમાર સાથે પ્રથમ એન્કાઉન્ટર થયું હતું, જેમાં તે માર્યો ગયો હતો. જ્યારે બીજા ગુનેગાર અને 25 હજાર રૂૂપિયાનું ઈનામ ધરાવનાર સની દયાલની ગાઝીપુરમાં હત્યા કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે ગાઝીપુરમાં યુપી-બિહાર બોર્ડર પર આ એન્કાઉન્ટર થયું હતું.

ગાઝીપુરમાં બિહાર બોર્ડર પર એન્કાઉન્ટરમાં ગુનેગાર સની દયાલ માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારની બારા પોલીસ ચોકી પાસે થયું હતું. બેંક ચોરીના કેસમાં સંડોવાયેલા સની દયાલના મોતની પુષ્ટિ ગાઝીપુરના એસપી ઈરાજ રાજાએ કરી છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું લોકર તોડી ચોરીના કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓના મોત થયા છે. ત્રણ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે હજુ પકડથી દૂર છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના 42 લોકર કાપીને કરોડો રૂૂપિયાની ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની સોમવારે સવારે 8 વાગ્યે થયેલા એન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એકને પગમાં ગોળી વાગી હતી. આ સમય દરમિયાન, ચાર ચોર ભાગી ગયા હતા, માર્યા ગયેલા ગુનેગાર તેમાંથી એક હતો. સવારે ચોરો પાસેથી 3 લાખ રૂૂપિયા રોકડા, 1889 ગ્રામ સોનું, 1240 ગ્રામ ચાંદીના દાગીના અને 315 બોરની પિસ્તોલ મળી આવી હતી. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં જ્વેલરી, એક પિસ્તોલ અને રોકડ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *