ગુજરાત
વેરાવળની 15 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા
જિલ્લા કલેકટર જાડેજાની સૂચના બાદ ફૂડ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી
જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તાલાલામાં આવેલ પ્રસાદ ડેરી પ્રોડક્ટ્સ, માધવ એન્ટરપ્રાઈઝ, બંસીધર ડેરી ફાર્મ, ગુરુકૃપા ડેરી ફાર્મ વગેરેમાંથી પનીર, મીઠો માવો, દૂધના કુલ 19 સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
તેમજ વેરાવળમાં રઘુવંશી ફરસાણ,અંબિકા ફરસાણ,ભવાની પ્રોવિઝન,શ્યામ ડેરી વગેરે કુલ 11 દુકાનોમાંથી ફરસાણ, ઘી, ચીઝ, પનીર વગેરે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તપાસણી અર્થે ફોરેન્સિક ખાતે મોકલી આપવામાં આવેલ આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત તપાસમાં મળી આવેલ 33 કિલો અખાઘ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવેલ હતો.
ગુજરાત
દ્વારકામાં 70 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 14 વાહનો ડિટેન કરતું પોલીસતંત્ર
ટ્રાફિક નિયમન ભંગ બદલ તમામ સામે કરાઇ કાર્યવાહી
દેવભૂમિ દ્વારકામાં બેફામ બની ગયેલા વાહન ચાલકો તેમજ રેંકડી ધારકો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી છે. સુવિખ્યાત યાત્રાધામ કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ યાત્રાળુ આવે છે, ત્યારે દ્વારકામાં ટ્રાફિક નિયમનને ઘોળીને પી જતા તેમજ મોટર વાહન અધિનિયમનો ઉલાળીયો કરનારા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા મંગળવારે સધન કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં આર.ટી.ઓ.ને સાથે રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં 70 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાવી હતી. જે પૈકી 14 વાહનો ડીટેઈન કરાયા હતા. દ્વારકામાં પ્રથમ વખત આ પ્રકારની કડક કાર્યવાહીમાં જિલ્લા ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. સોલંકી, આર.ટી.ઓ. અધિક તલસાણીયા તેમજ તેમની ટીમ દ્વારા વાહનોમાં બ્લેક ફિલ્મ, એલ.ઈ.ડી. લાઇટો, ઘોંઘાટીયા સાયલેન્સર, લાયસન્સ તથા કાગળ વગર નીકળેલા વાહન ચાલકો વિગેરે નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.આ જ રીતે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આરટીઓ અને પોલીસની સંયુક્ત ચેકિંગ કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી
ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી
માણસને સ્વબચાવનો અધિકાર છે, શું ખેડુતો, મજુરો જંગલી પ્રાણીની હત્યા કરે છે? વન્ય પ્રાણીઓએ કેટલા માણસોનો ભોગ લીધો? સંઘાણી
અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો દિલીપ સંઘાણીને મળ્યા હતા. જે મોટુ સંમેલન કરવાના છે.
વનવિભાગ કે અન્ય લોકો ખેડૂતોને ડરાવા માંગતા હોય, જેલમાં પુરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની કલમ 93,104,103,માં જોગવાઈ છે. માણસને જાન માલ મિલકત જોખમ હોય છે, ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો તે સ્વબચાવ અધિકાર આપ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર કામ કરતા પર વન્યપ્રાણી હુમલો કરે જાન લે ત્યારે મારે જંગલી પુશું બચાવનાર વ્યક્તિઓને મારે પૂછવું છે.
છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજદૂરો ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીની હત્યાઓ થઇ? કેટલાને નુકસાન થયું છે?..દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.
ઇકોઝોન મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.
ગુજરાત
વિશ્ર્વમાં પ્રથમ વખત 9 વર્ષીય બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ
સુરતની રિયાએ ડોનેટ કરેલા હાથથી 15 વર્ષીય કિશોરી ભાઈને બાંધશે રાખડી
વીજ કરંટ લાગતા ખભા સુધીનો હાથ ગુમાવનાર મુંબઈની કિશોરીને જીવનમાં સર્વસ્વ પાછું મળી ગયું
સપ્ટેમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહીત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.
દાન કરાયેલા સ્વ. રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડો. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ કિશોરી 30 ઓક્ટોમ્બર 2022ને દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11000 કિલોવોટ નો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તર થી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.
ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં અંગદાતા સ્વ. રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતું તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી, તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી.
ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તે કિશોરીના માતા-પિતાએ સ્વ. રિયાના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છે અને તેના જીવનમાં ખુશાલી આવી છે. સ્વ. રિયાના પરિવાર નો આભાર માનવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમે તેઓને નતમસ્તક નમન કરીએ છીએ.તે કિશોરી એ જણાવ્યું હતું કે, ખભાના સ્તરથી મારું ટ્રાન્સપ્લાન્ટ થવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે, મારા જીવનમાં નવી ખુશાલી આવી છે. સ્વ. રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. સ્વ. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તર થી ટ્રાન્સપ્લાન્ટ થયું, તે હાથ થી આવતા વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે સ્વ. રિયાના ભાઈને રાખડી બાંધીશ.
ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા-પિતા એ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. આ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય17 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત