Sports
IPL-2024માં મોટાભાગના દેશોના ખેલાડીઓ આખી સિઝન ઉપલબ્ધ રહેશે
બીસીસીઆઇએ આઇપીએલની આગામી સીઝનની ઓફિશિયલ વિન્ડોની પુષ્ટિ કરી દીધી છે, જે મુજબ આઇપીએલ 2024, 22 માર્ચથી શરુ થશે અને મેના અંતિમ સપ્તાહમાં ખતમ થશે. દેશમાં થનારી સામાન્ય ચૂંટણીને કારણે સંપૂર્ણ શિડ્યૂલ આવવામાં સમય લાગશે. આઇપીએલ 2024 માટે ખેલાડીઓના ઓક્શન મંગળવારે 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. ઓક્શન પહેલા આ લીગમાં ભાગ લેનાર વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાને લઈને ફ્રેન્ચાઈઝીને જાણ કરી દેવાઈ છે, જે મુજબ કેટલાંક દેશોના ખેલાડીઓને છોડીને મોટા ભાગના પ્લેયર્સ સમગ્ર સીઝન માટે ઉપલબ્ધ રહેશે.
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, આઇપીએલ ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પોતાના ખેલાડીઓને મામૂલી કે કોઈ શર્ત વગર આખી સીઝનનો ભાગ બનવા માટેની મંજૂરી આપી દીધી છે. જો કે ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ બોર્ડે સશર્ત મંજૂરી આપી છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને છોડીને ટીમના મોટા ભાગના ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે. જોશ હેઝલવુડ મેના પહેલા સપ્તાહથી ફ્રેન્ચાઈઝી સાથે જોડાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઇને જણાવ્યું કે જોશ હેઝલવુડ ઉપરાંત તેના તમામ ખેલાડી આઇપીએલમાં ઉપસ્થિત રહેશે. જો કે જો કોઈ ઘરેલૂ ટૂર્નામેન્ટ શેફીલ્ડ શીલ્ડનો ભાગ બનવા માગે છે તો તે અંગેનો નિર્ણય ખેલાડી પોતે કરી શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે- તેના ખેલાડી ભાગ લઈ શકે છે પરંતુ શર્ત એટલી જ છે કે તેઓ અનફિટ અને ઈન્ટરનેશનલ ડ્યૂટી પર ન હોય. ઈંગ્લેન્ડના ખેલાડીઓની ઉપબલ્ધતા ટી 20 વિશ્વકપની આસપાસ ઇસીબીના સમર ઈન્ટરનેશનલ કાર્યક્રમને અધીન છે, જેની જાહેરાત નથી થઈ. ટી 20 વિશ્વકપ કેરેબિયન અને અમેરિકામાં 4થી 30 જૂન સુધી રમાશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ આયરલેન્ડે પોતાના ખેલાડીઓને થોડોક સમય માટે ઉપલબ્ધ રાખ્યા છે. જો કે મુસ્તફિઝુર રહમાન અને જોશુઆ લિટલને ખાસ મંજૂરી મળી છે. આયરલેન્ડે ફાસ્ટ બોલરને પૂરી સીઝન માટે મંજૂરી આપી છે, જ્યારે બીસીબીએ રહમાનને 22 માર્ચથી 11 મે સુધી લીગમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી), ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (સીડબલ્યુઆઇ), ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ), ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) અને ઝિમ્બાબ્વે ક્રિકેટે બીસીસીઆઇને સૂચિત કર્યા છે કે તેમના ખેલાડી આઇપીએલની સંપૂર્ણ અવધિ માટે ઉપલબ્ધ રહેશે.
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો