Connect with us

રાષ્ટ્રીય

પરંપરાના નામે બાળ વિવાહ મંજૂર નહીં: સુપ્રીમ

Published

on

સુપ્રીમ કોર્ટે બાળ વિવાહને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સાથે જ ગાઇડલાઇન જારી કરીને કહ્યું છે કે બાળ વિવાહને કોઇ પણ વ્યક્તિગત કાયદાની પરંપરાઓ હેઠળ બાધિત ના કરી શકાય. એક એનજીઓ દ્વારા દાખલ જાહેર હિતની અરજી (પીઆઇએલ)માં આરોપ લગાવાયો છે કે બાળ વિવાહના કાયદાનો રાજ્યસ્તરે વ્યવસ્થિત અમલ નથી થઇ રહ્યો. જેને પગલે બાળ વિવાહના મામલા પણ વધી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જાહેર કરીને બાળ વિવાહને અટકાવવા તમામ રાજ્યોને ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી બાદ બાળ વિવાહ સામે ગાઇડલાઇન જારી કરતા કહ્યું છે કે માતા પિતા દ્વારા પોતાના કિશોર વયના પુત્ર કે પુત્રીઓની પુખ્ત વયના થાય તે પહેલા જ લગ્ન માટે સગાઇ કરાવવી તે સગીરોના જીવન સાથીને સ્વતંત્ર રીતે પસંદ કરવાના અધિકારોનું ઉલ્લંઘન છે.

આ ચુકાદો આપતા મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે બાળકોના લગ્ન અટકાવવા પર વધુ ધ્યાન આપવું જોઇએ બાળ વિવાહ કરાવનારા સામે જે દંડની કાર્યવાહી કરવાની થાય છે તે અંતિમ ઉપાય છે. દરેક સમુદાય માટે અલગ અલગ રણનીતિ તૈયાર કરવી જોઇએ, પોલીસ અધિકારીઓને આ માટે વિશેષ તાલિમ આપવી જોઇએ. લોકોમાં બાળ વિવાહ સામે જાગૃતિ લાવવી જરૂૂરી છે. બાળ વિવાહ સામેના કાયદાના અમલને કોઇ પણ પ્રકારના પર્સનલ લો કે પરંપરાઓથી અટકાવી ના શકાય.

મરજી મુજબના જીવનસાથીની પસંદગી કરવાની દરેકને સ્વતંત્રતા છે અને બાળ વિવાદ આ સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. બાળ વિવાહ સામાજિક દૂષણ છે.મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે બાળ વિવાહ બાળકોને તેના બાળપણનો સંપૂર્ણ આનંદ લેવાથી વંચિત રાખે છે. જે બાળકીઓના ગેરકાયદે લગ્ન કરી દેવાય છે તે પોતાના માતા પિતાથી તેમજ પરિવારના માહોલથી અલગ રહેવા મજબૂર થાય છે. આવી બાળકીઓને બાદમાં તેમના સાસરિયાની દયા પર છોડી દેવામાં આવે છે. બાદમાં તેના પર જવાબદારીઓનો બોજ નાખવામાં આવે છે.

2019-21ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટમાં સામે આવ્યું છે કે 18 વર્ષથી ઓછી વયની 23.3 ટકા સગીરાઓ અને 21 વર્ષથી ઓછી વયના 17.7 ટકા સગીરો બાળ વિવાહ કરે છે. બેન્ચે કહ્યું કે અધિકારીઓએ અપરાધીઓને સજા આપતી વખતે બાળ લગ્ન અટકાવવા અને સગીરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે બાળ લગ્ન નિષેધ કાયદો 2006 થી બાળ લગ્ન રોકવા અને સમાજમાંથી તેને નાબૂદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.

રાષ્ટ્રીય

ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

Published

on

By

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી બાદ ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં સરકાર બની છે. ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે (17 ઓક્ટોબર) જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ ઉપરાજ્યપાલ દ્વારા આજે (19 ઓક્ટોબર) તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.

આજે આ સંદર્ભમાં માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની સ્થિતિને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે કેબિનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

જમ્મુ અને કાશ્મીરની કેબિનેટે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે અધિકૃત કર્યા છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી દરમિયાન ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને મુદ્દો બનાવી હતી. સરકારની રચના બાદ કેબિનેટમાં આ અંગેની દરખાસ્તો પસાર કરવામાં આવી હતી.

4 નવેમ્બરે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે

સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં દિલ્હીની મુલાકાત લેશે અને દિલ્હીમાં વડાપ્રધાન અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને મળશે અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવ પર ચર્ચા કરશે.

કેબિનેટની બેઠકમાં 4 નવેમ્બરે શ્રીનગરમાં વિધાનસભા સત્ર બોલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એલજીને વિધાનસભા બોલાવવા વિનંતી કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ 21 ઓક્ટોબરે ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. લેફ્ટનન્ટ ગવર્નરે મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

Continue Reading

રાષ્ટ્રીય

ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર

Published

on

By

રશિયા-ચીન ડોલરનું મહત્વ ઘટાડવા મક્કમ, ભારતની તેલ જુઓ, તેલની ધાર જુઓની નીતિ

રશિયાના કાઝાન શહેરમાં 22 અને 23 ઓક્ટોબરે યોજાનારી ઇછઈંઈજ સમિટમાં કેટલાક આર્થિક મુદ્દાઓ પર સહમત થવા માટે રશિયા અને ચીને પૂરેપૂરું દબાણ કર્યું છે, પરંતુ ભારતે હજુ સુધી તેનો પત્તો નથી ખોલ્યો. રશિયા અને ચીન પરસ્પર વેપારમાં ડોલરની ભૂમિકા ઘટાડવા માટે બ્રિક્સ દેશો વચ્ચે વ્યાપક સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ દિશામાં કેવી રીતે આગળ વધવું તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે.


ભારત સૈદ્ધાંતિક રીતે સંમત છે કે તેનો ડોલર સિવાયનો વૈશ્વિક વેપાર પણ વધવો જોઈએ. ભારત પોતે દ્વિપક્ષીય સ્તરે આ અંગે ઘણા દેશો સાથે વાત કરી રહ્યું છે. પરંતુ ભારત બ્રિક્સના બેનર હેઠળ આ સંબંધમાં કોઈપણ ઉતાવળિયા કરારને સમર્થન આપશે નહીં. ભારત ધ્યાનપૂર્વક વિચાર્યા બાદ જ નિર્ણય લેશે. પીએમ નરેન્દ્ર મોદી બુધવારે જ્યારે બ્રિક્સ સંમેલનને સંબોધિત કરશે ત્યારે તેઓ ભારતનું આ જ સ્ટેન્ડ રજૂ કરશે.


બ્રિક્સ પહેલ અને સંભવિત ભાવિ કરારો પર પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી અહીં અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં પુતિન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને નવા ઇછઈંઈજ સભ્ય દેશો ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા, ઞઅઊ અને સાઉદી અરેબિયાના ટોચના નેતાઓ પણ ભાગ લેશે. આ પાંચ દેશો ગયા વર્ષે જ બ્રિક્સના સભ્ય બન્યા છે. સાઉદી અરેબિયાએ હજુ સુધી આમાં સંપૂર્ણ સભ્યપદ લીધું નથી.ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે આ વખતે બ્રિક્સ સમિટમાં 40 દેશોના નેતાઓ ભાગ લેશે. સૂત્રોનું કહેવું છે કે રશિયા અને ચીન સતત કહી રહ્યા છે કે બ્રિક્સે હવે વૈશ્વિક મંચ પર વધુ પ્રાસંગિક ભૂમિકા ભજવવાની જરૂૂર છે અને આ સંગઠનને હવે સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.

બંને દેશોએ કહ્યું કે બ્રિક્સે વૈશ્વિક મંચ પર આર્થિક અને રાજકીય શાસનની પદ્ધતિઓમાં પરિવર્તનની શરૂૂઆત કરવી જોઈએ. આ ક્રમમાં, સ્થાનિક ચલણમાં વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે, હાલની જઠઈંઋઝ સિસ્ટમ (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન્સ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટેની સિસ્ટમ) નો વિકલ્પ બનાવવા અંગે નિર્ણય લેવો પડશે. રશિયા અને ચીનના મતે આગામી બેઠકમાં તેનો રોડમેપ આવવો જોઈએ. ભારત સરકાર, તેના સ્તરે, અન્ય દેશો સાથે સ્થાનિક ચલણમાં વેપાર કરવાને પ્રોત્સાહન આપી રહી છે.


પરંતુ વર્તમાન વાતાવરણમાં જ્યારે ચીન-રશિયા અને અમેરિકા-પશ્ચિમ દેશો વચ્ચે આર્થિક અને રાજકીય તણાવ વધી રહ્યો છે ત્યારે ભારત દરેક પાસાને ધ્યાનમાં રાખી રહ્યું છે.

Continue Reading

રાષ્ટ્રીય

ડયુટી પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ મુસ્લિમ કોન્સ્ટે.ની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

Published

on

By

બિનપરચુરણ દિવસ દરમ્યાન સુનાવણી થશે

મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક મુસ્લિમ કોન્સ્ટેબલને ફરજ પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જે 1951ના બોમ્બે પોલીસ મેન્યુઅલનું ઉલ્લંઘન હતું.


સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે, જેમાં ફરજ પર દાઢી રાખવા બદલ સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલને ફરજ પર દાઢી રાખવા બદલ તેની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જેની સામે તેણે અરજી કરી હતી અને વિરોધ કર્યો હતો કે શું આમ કરવું બંધારણ હેઠળના ધર્મ પાળવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.


બંધારણની કલમ 25 અંતરાત્માની સ્વતંત્રતા અને મુક્તપણે ધર્મનો અભિવ્યક્તિ, આચરણ અને પ્રચાર કરવાના અધિકાર સાથે સંબંધિત છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મુદ્દા પર વિચાર કરવા સંમતિ દર્શાવી છે.


તેમને દાઢી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે 1951ના બોમ્બે પોલીસ મેન્યુઅલનું ઉલ્લંઘન હતું. જ્યારે ઈઉંઈં ચંદ્રચુડને કહેવામાં આવ્યું કે આ મામલો લોક અદાલતમાં છે અને હજુ સુધી ઉકેલાયો નથી, ત્યારે તેમણે કહ્યું, નઆ બંધારણનો મહત્વનો મુદ્દો છે અમે બિન-પરચુરણ દિવસ પર સુનાવણી માટે મામલાની યાદી કરીશું.

ઝહીરુદ્દીન એસ. બેદાડેએ 2015માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અગાઉ, બેન્ચે કહ્યું હતું કે જો તે દાઢી કાપવા માટે સંમત થશે, તો તેનું સસ્પેન્શન રદ કરવામાં આવશે. જો કે ત્યારબાદ અરજદારે આ શરત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

Continue Reading
રાષ્ટ્રીય5 mins ago

ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

રાષ્ટ્રીય10 mins ago

ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર

રાષ્ટ્રીય13 mins ago

ડયુટી પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ મુસ્લિમ કોન્સ્ટે.ની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

ક્રાઇમ19 mins ago

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

રાષ્ટ્રીય19 mins ago

ડીજેના ભયાનક અવાજે 13 વર્ષના માસૂમનો ભોગ લીધો

ગુજરાત21 mins ago

મહિલાએ 108માં જ બેલડાંને જન્મ આપ્યો

રાષ્ટ્રીય23 mins ago

અંધશ્રદ્ધાએ પરિવારના બે યુવકનો ભોગ લીધો; બે બેભાન, એક પાગલ થઇ ગયો

ગુજરાત23 mins ago

સિવિલ હોસ્પિટલમાં સુવિધા-દુવિધા બાબતે ચર્ચા-વિચારણા કરતા આરોગ્ય કમિશનર

ગુજરાત25 mins ago

ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ સુધીનો હાઈવે તાકીદે રીપેર કરો: કલેક્ટર

રાષ્ટ્રીય25 mins ago

દુષ્કર્મના ખોટા આરોપમાં યુવક ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ યુવતીને પણ એટલી જ સજા

ગુજરાત1 day ago

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

આંતરરાષ્ટ્રીય1 day ago

વિશ્વમાં સૌથી વધારે ગરીબ ભારતમાં! પાકિસ્તાન આપણા કરતા ‘અમીર’, UNના રીપોર્ટમાં ખુલાસો

ગુજરાત1 day ago

કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત

ગુજરાત1 day ago

થાનગઢમાં સગીરા ઉપર સાત શખ્સોનું દુષ્કર્મ

ક્રાઇમ1 day ago

ખંભાળિયામાં વેપારીને આંતરી રોકડની લૂંટ

ક્રાઇમ1 day ago

મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત

ગુજરાત1 day ago

સિવિલ હોસ્પિટલમાં દોઢ માસથી એન્જિયોગ્રાફીનું મશીન બંધ

ગુજરાત1 day ago

શિવમ ફ્રૂટમાંથી 1150 કિલો વાસી પલ્પ પકડાયો

ગુજરાત1 day ago

ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા 35 વેપારીને નોટિસ

ગુજરાત1 day ago

સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

Trending