વડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા

અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું…

અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જુવાન ટુકાવ્યું હતુ. આ દવા પીધા બાદ ખેડૂતે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા નામના બે શખ્સોના ત્રાસથી પોતે દવા પીવા મજબુર બન્યા હોવાનુ જણાવ્યું હતુ. આ ખેડૂતના મૃત્યુ બાદ ખેડૂતના પરીવારજનોના પોલીસ સાથેના 15 કલાકના સંઘર્ષ બાદ આ બે શખ્સો બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યારથી તેઓ ફરાર હતા. ગત સાંજના સમયે આ બંને શખ્સ વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આ બંને શખ્સો હાજર થતા વડિયા પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. આ બાબતે વડિયાના ઇન્ચાર્જ પીઆઇ પી ડી ગોહિલનો સંપર્ક કરતા તેમણે બંને શખ્સ સામેથી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા છે હવે આગળની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *