ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો

    ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને…

 

 

ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને હિંસા થઇ હતી. ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો. બંને બાજુથી પથ્થરમારામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ છે.

તેઓએ અનેક શેરીઓમાં ઘૂસીને વાહનોમાં તોડફોડ કરી અને આગચંપી પણ કરી. લગભગ દોઢ કલાક સુધી હંગામો ચાલુ રહ્યા બાદ, ઇન્દોરથી મોટી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી અને હંગામો મચાવનારા યુવાનો પર લાઠીચાર્જ કરીને તેમને વિખેરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે બદમાશો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક યુવાનો ભારતની જીતની ઉજવણી કરી રહ્યા હતા અને ઉજવણી કરતી વખતે તેઓએ મસ્જિદની સામે ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, એક ખાસ ધર્મના લોકોએ તેમને મસ્જિદની સામે ફટાકડા ફોડતા અટકાવ્યા. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો અને તેઓ સામસામે આવી ગયા. હાલમાં, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેના કારણે મહુમાં હવે સંપૂર્ણ શાંતિ છે.

મહુના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ઉષા ઠાકુરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે પથ્થરબાજોને બક્ષવામાં આવશે નહીં અને આ સંદર્ભમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો પથ્થરમારો કરતા જોવા મળ્યા છે તેમની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉષા ઠાકુરે એમ પણ કહ્યું કે રાજદ્રોહ જેવી શક્તિઓને ખીલવા દેવામાં આવશે નહીં. તેમણે મુખ્યમંત્રી સાથે વાત કરવાનો પણ સંકેત આપ્યો અને કહ્યું કે જો પથ્થરબાજોની ઓળખ થઈ જશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી દેશદ્રોહીઓ સાથે કડક કાર્યવાહી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *