ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ શુક્રવારે ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસના આરોપી તથ્યા પટેલને સાત દિવસના જામીન મંજૂર કર્યા છે. આ દુર્ઘટનામાં નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. પટેલે તેની માતાની સંભાળ રાખવા માટે જામીન માંગ્યા હતા અને રજૂઆત કરી હતું કે તેની માતાને 12 મેના રોજ કરોડરજ્જુની મોટી સર્જરી કરાવવાની છે. ત્યારબાદ ફિઝિયોથેરાપી માટે 20 થી 25 દિવસ કસરત કરવી જરૂૂરી છે. આથી બે સપ્તાહના જામીન આપવા જોઈએ.
તથ્યના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમના પિતા કેન્સરથી પીડાય છે અને તેઓ તેમની માતાની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. હાઈકોર્ટે વાસ્તવિક મુક્તિની તારીખથી એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલના પોલીસ એસ્કોર્ટ સાથે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે. પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરી હતી, જેમણે ઈસ્કોન બ્રિજ પર 142.5 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પોતાની જગુઆર કાર ચલાવીને નવ લોકો પર ચડાવી દીધી હતી જેના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પટેલના પિતા ઘટનાસ્થળે આવ્યા, લોકોને ધમકાવ્યા અને સારવાર માટે લઈ ગયા. પોલીસે તેના પિતા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી, જે હાલમાં કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન પર છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી દીધી હતી.
