NDTVના સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂકતી સેબી: પ્રણવ અદાણી, તેમના સાળાને નોટિસ

    બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આરોપ લગાવ્યો છે કે પ્રણવ અદાણીએ તેમના સાળા સાથે NDTVના શેર ખરીદવા માટે…

 

 

બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આરોપ લગાવ્યો છે કે પ્રણવ અદાણીએ તેમના સાળા સાથે NDTVના શેર ખરીદવા માટે અદાણી ગ્રુપની ઓપન ઓફર વિશે કિંમત-સંવેદનશીલ માહિતી શેર કરી હતી, જે ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન છે. આ આરોપો ઓગસ્ટ 2022 ના છે, જ્યારે અદાણી ગ્રુપ એક બ્રોડકાસ્ટર કંપની હસ્તગત કરી રહ્યું હતું. પ્રણવ અદાણી અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર છે.

સેબીએ પ્રણવ અદાણી, તેમના સાળા કુણાલ અને નૃપાલ શાહ અને તેમના સસરા ધનપાલ શાહને કારણદર્શક નોટિસ ફટકારી છે. 15 ઓક્ટોબર, 2025 ના રોજની નોટિસમાં, સેબીએ આરોપ લગાવ્યો હતો કે કુણાલ, નૃપાલ અને ધનપાલ શાહે પ્રણવ અદાણી સાથે ફોન પર વાતચીત કરી હતી, જે દર્શાવે છે કે UPSI (અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી) સમયગાળા દરમિયાન આ વ્યક્તિઓ અને પ્રણવ અદાણી વચ્ચે વાતચીતની આવર્તન કેટલી હતી. સેબીએ પુરાવાના અભાવે પ્રણવ અદાણી અને તેમના સાળા નૃપાલ અને કુણાલ શાહ સામેનો ઇનસાઇડર ટ્રેડિંગ કેસ પડતો મૂક્યો હતો. સેબીએ આરોપ લગાવ્યો હતો કે પ્રણવ અદાણીએ સોફ્ટબેંક-સમર્થિત એસબી એનર્જી હોલ્ડિંગ્સના અદાણી ગ્રીન એનર્જીના સંપાદન અંગેની કિંમત-સંવેદનશીલ માહિતી સોદાની જાહેરાત પહેલાં તેના સંબંધીઓ સાથે શેર કરી હતી.

23 ઓગસ્ટ, 2022 ના રોજ, ઓપન ઓફર મેનેજર, જેએમ ફાઇનાન્શિયલે, બજાર કલાકો પછી સ્ટોક એક્સચેન્જને NDTV માટે ઓપન ઓફર અંગે જાહેર જાહેરાત વિશે જાણ કરી. જાહેરાતમાં જણાવાયું હતું કે વિશ્વપ્રધાન કોમર્શિયલ, તેના ક્ધસોર્ટિયમ ભાગીદારો – અખૠ મીડિયા નેટવર્ક્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ – સાથે મળીને NDTV ની શેર મૂડીનો 26% સુધી જાહેર શેરધારકો પાસેથી હસ્તગત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *