રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં છેલ્લા છ મહીનાથી ફરાર રહેલા અને ગઇકાલે તાલુકા પોલીસમાં સરેન્ડર થયેલા રાજદિપસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કર્યા બાદ રાત્રે દશ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે એડી.ચિફ.જ્યુડી.મેજિસ્ટ્રેટ રાઠોડનાં નિવાસસ્થાને રજુ કરતા બે દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા હતા.
પોલીસે રાજદિપસિંહની અમીત ખુંટ આપઘાત કેસમાં શું ભુમિકા છે ?અન્ય આરોપીઓ બનાવ સાથે કઇ રીતે જોડાયેલા છે ? છ મહીના દરમ્યાન રાજદિપસિંહે ક્યા આશરો મેળવેલો તે સહિતનાં મુદ્દે પુછપરછ કરવાની હોય દશ દિવસની રિમાન્ડની માંગ કરી હતી.
