ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકીય હોબાળો વચ્ચે ભાજપે આજે (30 ડિસેમ્બર, 2024) ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર હુમલો કર્યો. ભાજપનું કહેવું છે કે એક તરફ આખો દેશ શોકમાં ડૂબી ગયો છે અને બીજી તરફ રાહુલ ગાંધી નવા વર્ષની પાર્ટી મનાવવા માટે વિયેતનામ ગયા હતા.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે અને રાહુલ ગાંધી નવા વર્ષની પાર્ટીની ઉજવણી કરવા વિદેશ ગયા છે, જ્યારે સમગ્ર દેશ સાત દિવસનો શોક મનાવી રહ્યો છે.” કોંગ્રેસને ડૉ.મનમોહન સિંહ જીવતા હતા ત્યારે તેમની પરવા નથી અને તેઓને ગાળો આપતાં અને આજે પણ તેઓ આમ જ કરી રહ્યા છે. કોંગ્રેસે મનમોહન સિંહ ભારત રત્ન આપવાની ના પાડી દીધી હતી.આ તેમનો અસલી ચહેરો છે
તેમણે વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાનો અર્થ બદલી નાખ્યો છે. હવે તેઓ વિપક્ષના નેતામાંથી પ્રવાસન નેતા અને પાર્ટીના નેતામાં બદલાઈ ગયા છે. એવા સમયે જ્યારે દેશ પૂર્વ વડાપ્રધાનના નિધનથી શોકમાં છે. ત્યારે રાહુલ ગાંધી પર્યટન અને પાર્ટી માટે નીકળી ગયાંરાહુલ ગ્નાધુ અને ‘પર્યટન’ કોઈ નવી વાત નથી, જ્યારે 26/11નો હુમલો થયો ત્યારે તેઓ આખી રાત પાર્ટી કરતા હતા. મનમોહન સિંહના નિધનની તેમનેકોઈ ચિંતા નથી.”
આ સિવાય બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ કહ્યું કે જ્યારે દેશ શોકમાં છે ત્યારે રાહુલ ગાંધી વિયેતનામ જવા રવાના થયા છે. તેમણે એક પોસ્ટમાં પીએમના મૃત્યુ પર રાજનીતિ કરી અને તેનો ફાયદો ઉઠાવ્યો, તે ક્યારેય ભૂલશો નહીં કે ઈન્દિરા ગાંધીએ દરબાર સાહેબનું અપમાન કર્યું હતું.
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે આ મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, “સાંઘી લોકો આ વિચલિત રાજનીતિ ક્યારે બંધ કરશે? મોદીએ જે રીતે ડૉ. સાહેબને યમુના કિનારે અગ્નિસંસ્કાર માટે જગ્યા આપવાની ના પાડી અને જે રીતે તેમના મંત્રીઓએ ડૉ. સાહેબના પરિવારને મંજૂરી આપવાની ના પાડી. , તે શરમજનક છે જો રાહુલ ગાંધી અંગત મુલાકાતે જાય છે તો તમને તેમાં વાંધો કેમ છે?
