બાલાજી મંદિરના દર્શન કરી નવા અધ્યાયની શરૂઆત કરતી પ્રિયંકા

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે અને તે પૂજા તરફ સંપૂર્ણપણે ઝુકાવ ધરાવે છે. તાજેતરમાં સમાચાર આવ્યા કે તે મહાકુંભમાં સ્નાન કરવા ગઈ…

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે અને તે પૂજા તરફ સંપૂર્ણપણે ઝુકાવ ધરાવે છે. તાજેતરમાં સમાચાર આવ્યા કે તે મહાકુંભમાં સ્નાન કરવા ગઈ હતી. હવે અભિનેત્રીએ પોતે ફોટા શેર કરીને જણાવ્યું છે કે તે ક્યાં છે અને શું કરી રહી છે. પ્રિયંકા હૈદરાબાદના મંદિરમાં પહોંચી અને દર્શન કર્યા. પ્રિયંકા તેલંગાણાના ચિલકુર બાલાજી મંદિર પહોંચી અને ભગવાનના આશીર્વાદ લીધા પછી, તેણે કહ્યું કે તે નવો અધ્યાય શરૂૂ કરવા જઈ રહી છે.
પ્રિયંકા ચોપરાએ નવા પ્રકરણનો અર્થ શું છે તે જાહેર કર્યું ન હતું, પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન કરી રહ્યા છે કે તે એસએસ રાજામૌલી અને મહેશ બાબુ સાથેની તેની ફિલ્મના શૂટિંગની શરૂૂઆત છે., હૈદરાબાદની સરહદથી લગભગ 40 કિમી દૂર સ્થિત ચિલકુર બાલાજી મંદિર આસ્થાનું એક મુખ્ય કેન્દ્ર છે. આ મંદિરમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

તસવીરો શેર કરતાં પ્રિયંકાએ લખ્યું છે હું શ્રી બાલાજીના આશીર્વાદથી એક નવો અધ્યાય શરૂૂ કરી રહી છું. આપણા હૃદયમાં શાંતિ અને આપણી આસપાસ સમૃદ્ધિ રહે. ભગવાનની કૃપા અનંત છે. ઓમ નમ: શિવાય. પ્રિયંકા ચોપરાએ પોતાની પોસ્ટમાં સાઉથ સ્ટાર રામ ચરણની પત્નીનો પણ આભાર માન્યો છે. પ્રિયંકા ચોપરા એસએસ રાજામૌલીની ફિલ્મથી કમબેક કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *