વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા, જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીની પહેલી યાદી જાહેર કરી છે. સસ્પેન્સનો અંત લાવતા, તેમણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ પણ ચૂંટણી લડશે, અને કહ્યું હતું કે તેમનો પક્ષ બધી 243 વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડશે. તેમણે મહિનાઓથી એનડીએના શાસક શાસન અને વિપક્ષના ઇન્ડિયા બ્લોક બંને સામે પ્રચાર કર્યો છે. પ્રશાંત કિશોરે જાહેર કર્યું છે કે તેઓ 11 તારીખથી તેજસ્વી યાદવના રાઘવપુરથી પોતાના પક્ષનો પ્રચાર શરુ કરશે.
પ્રથમ યાદીમાં પટણાના કુમ્હરારથી પ્રખ્યાત ગણિતશાસ્ત્રી કે.સી. સિંહા સહિત 51 ઉમેદવારોના નામ છે. પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ પણ શરૂૂ કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેમણે બિહારની ગઉઅ સરકાર પર 70,000 કરોડ રૂૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ લગાવતા હાઇકોર્ટમાં અરજી કરી છે.
