પાંચ દેશોના વડાઓ સાથે વાત કરી
પશ્ચિમ એશિયામાં ગેસ અને ઉર્જા સુવિધાઓ પરના હુમલાઓ અંગે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવા હુમલાઓ અસ્વીકાર્ય છે અને તાત્કાલિક બંધ થવા જોઈએ. વિદેશ મંત્રાલયે આ હુમલાઓને “ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યા છે.
મધ્ય પૂર્વમાં સંઘર્ષ વચ્ચે ઉર્જા અને ગેસ સુવિધાઓ પરના હુમલાઓએ વૈશ્વિક ચિંતામાં વધારો કર્યો છે. આ કૃત્યોને અસ્વીકાર્ય ગણાવતા, ભારતે આવા હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ, ઓમાન, જોર્ડન, કુવેત અને મલેશિયા જેવા દેશોના અનેક વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરી છે. તેમણે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે અને રાજદ્વારી ઉકેલ શોધવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો તણાવ ઓછો કરવા અને શાંતિ પુન:સ્થાપિત કરવા માટે વાતચીત અને રાજદ્વારીને પ્રાથમિકતા આપવા સંમત છે. તેમણે ઓમાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના કોઈપણ ઉલ્લંઘનની નિંદા પણ કરી. વધુમાં, તેમણે કટોકટી દરમિયાન લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવામાં દેશની ભૂમિકાની પ્રશંસા કરી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વાત કરતા, પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક તણાવ ઓછો કરીને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની તાત્કાલિક જરૂૂર છે.
તેમણે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને પણ આ જ સંદેશ આપ્યો. બંને નેતાઓએ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુન:સ્થાપના માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પશ્ચિમ એશિયામાં વધતો સંઘર્ષ હવે ફક્ત પ્રાદેશિક મુદ્દો નથી રહ્યો.
