રાજૌરીમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

રાજોરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં, ગઇકાલે સવારે પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું…

રાજોરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં, ગઇકાલે સવારે પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. સતર્ક સૈનિકોએ ગોળીબાર શરૂૂ કરતાની સાથે જ અન્ય આતંકવાદીઓ ભાગી ગયા. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ નિયંત્રણ રેખા પાસે પડ્યો છે.

સૂત્રો અનુસાર, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે, ભારતીય સેનાએ બારાત ગાલા વિસ્તારમાં નિયંત્રણ રેખા પર શંકાસ્પદ હિલચાલ જોઈ. ઘૂસણખોરીનો પ્રયાસ જાણ થતાં જ સતર્ક સૈનિકોએ ગોળીબાર શરૂૂ કરી દીધો.
લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ સાંજે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને ઉપાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સૈનિકોએ ગોળીબાર કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. મૃતદેહ શૂન્ય નિયંત્રણ રેખા પર પડ્યો છે. આતંકવાદી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા બાદ, સેનાએ સમગ્ર વિસ્તારને મોટા પાયે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *