53માંથી 6 યોજનાઓ પર 40 ટકાથી ઓછો ખર્ચ થયો
સરકારે આ વિત્ત વર્ષમાં તેમની સૌથી મોટી યોજનાઓ પર 40 ટકા બજેટ જ ખર્ચ કર્યું છે. આ તે યોજનાઓ છે જેમના માટે લગભગ 500 કરોડ રૂૂપિયાનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્યોને મળીને ખર્ચ કરવાનો છે. આ યોજનાઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક વજીફા યોજના સામેલ છે. આ ઉપરાંત મનરેગા, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના પર પણ 40 ટકા જ ખર્ચ થયો છે.
કુલ 53 યોજનાઓમાંથી 6 યોજનાઓ પર 40 ટકાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. ચાર પર 40થી 50 ટકા, 15 યોજનાઓ પર 51થી 75 ટકા, 10 પર 90થી 100 પર્સન્ટ અને 6 યોજનાઓ પર 100 ટકા ખર્ચ થયો છે. બાકીની 47 યોજનાઓ પર રિવાઇઝ્ડ એસ્ટિમેટ બજેટ એસ્ટિમેટ કરતા ઓછું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં 850 કરોડનું બજેટ આવંટન કરવામાં આવ્યું હતું જેમાંથી માત્ર 150 કરોડ રૂૂપિયા ખર્ચ થયા છે.
જો કુલ 53 યોજનાઓ પર કુલ ખર્ચની વાત કરીએ તો તે 3.8 લાખ કરોડ રૂૂપિયા છે. આ યોજનાઓ પર 5 લાખ કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી.
31 ડિસેમ્બર સુધીમાં બે લાખ કરોડનું બજેટ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ કુલ બજેટના 41.2 ટકા હતું. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના, વોટર મેનેજમેન્ટ, પીએમ ઇબસ સેવા, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, જલ જીવન મિશન, કમ્પ્યુટરાઇઝેશન ઓફ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી અને અન્ય અનેક યોજનાઓ પર બજેટના 40 ટકા જ ખર્ચ થયો છે. આમાંથી 6 યોજનાઓ એવી પણ છે જેમના માટે માત્ર 10 ટકા જ બજેટ રિલીઝ થયું છે.
તેમણે જણાવ્યું કે જેજેએમ માટે 67 હજાર 300 કરોડ રૂૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોમાં નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે અને ચાર-પાંચ કરોડ ઘરોને વધુ પાણી આપવાનું છે તથા આ યોજનાને વર્ષ 2028 સુધી વિસ્તારિત કરવામાં આવી છે. આનાથી દેશની લગભગ નવ કરોડ માતા-બહેનોનો લગભગ 4.5 કરોડ કલાકનો સમય બચ્યો છે. તેમજ જલ ગુણવત્તા તપાસ માટે 24 લાખ 80 હજાર મહિલાઓને તાલીમ આપવામાં આવી છે અને આઠ લાખ મહિલાઓએ પરીક્ષણ પોર્ટલ પર તેમના રિપોર્ટ મૂક્યા છે.
16 કરોડ ઘરમાં નલસે જલ : પાટીલ
આ બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે શનિવારે અહીં જણાવ્યું કે દેશમાં જલ જીવન મિશન (જેજેએમ) હેઠળ અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોમાં નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. પાટિલે અહીં કેન્દ્રીય બજેટને લઈને પ્રેસ વાર્તાને સંબોધિત કરતા આ માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમૃત સરોવર યોજના અને જેજેએમ ઐતિહાસિક સાબિત થઈ રહી છે અને અમૃત સરોવર યોજના હેઠળ દેશભરમાં 69 હજારથી વધુ સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી ભૂજળ સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
