મહાકુંભ ગર્લ મોનાલિસા મુસ્લિમ બોયફ્રેન્ડને પરણી ગઇ

ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા પછી પુષ્પમાળા પહેરેલો વીડિયો વાયરલ: પોતાના પરિવારથી રક્ષણ આપવા પોલીસ દ્વારે ટકોરા પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન પોતાની સુંદર માંજરી આંખોને…

ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા પછી પુષ્પમાળા પહેરેલો વીડિયો વાયરલ: પોતાના પરિવારથી રક્ષણ આપવા પોલીસ દ્વારે ટકોરા

પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન પોતાની સુંદર માંજરી આંખોને કારણે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચા કોઈ ફોટોશૂટની નહીં પરંતુ તેના લગ્નની છે. મોનાલિસાએ તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન સાથે ઘર છોડીને કેરળના તિરુવનંતપુરમમાં હિન્દુ વિધિથી લગ્ન કરી લીધા છે.
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી મોનાલિસા અને મહારાષ્ટ્રના ફરમાનની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા થઈ હતી. છેલ્લા દોઢ વર્ષથી બંને રિલેશનશિપમાં હતા. જોકે, અલગ-અલગ ધર્મ હોવાને કારણે મોનાલિસાના પિતા જય સિંહ ભોસલે આ સંબંધની સખત વિરુદ્ધમાં હતા.

પોલીસે બંનેના દસ્તાવેજોની તપાસ કરી હતી, જેમાં મોનાલિસા પુખ્ત વયની હોવાનું સાબિત થયું હતું. કાયદાકીય રીતે તે પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર હોવાથી પોલીસે તેને ફરમાન સાથે જવાની મંજૂરી આપી છે. આ અંગે તેના પિતાને પણ જાણ કરવામાં આવી છે. બંનેએ કેરલના મંદિરમાં લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

વર્ષ 2025માં પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન મોનાલિસા તેના પરિવાર સાથે રુદ્રાક્ષની માળા વેચતી હતી. તેની અનોખી ભૂરી આંખોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં જોવાયા હતા. જે વાઈરલ થયા બાદ તેને મોડલિંગ અને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી.

મોનાલિસા જ્યારે વાઈરલ થઈ હતી ત્યારે તેની ઉંમર 17 વર્ષ હોવાની જાણકારી મળી હતી. વાયરલ થયા બાદ મોનાલિસાને સનોજ મિશ્રાના નિર્દેશનમાં બનેલી હિન્દી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં કામ કરવાની તક મળી હતી. હાલમાં તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે એક્ટિવ છે અને અનેક બ્રાન્ડ પ્રમોશનના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જોકે, અંગત જીવનના આ મોટા નિર્ણયને કારણે તે અત્યારે ફરી હેડલાઇન્સમાં છે.

કેરળમાં સુખ-સલામતી લાગે છે
મોનાલિસા અને ફરમાન તિરુવનંતપુરમના થંપાનૂર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સુરક્ષાની માંગ કરી હતી. મોનાલિસાએ પોલીસને જણાવ્યું કે- પરિવાર તરફથી સતત દબાણ અને ધમકીઓ મળી રહી હતી, જેના કારણે અમે ઘર છોડવાનો નિર્ણય કર્યો. અમને લાગ્યું કે કેરળમાં અમે સામાજિક અને ધાર્મિક દબાણ વગર સુરક્ષિત રહી શકીશું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *