દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વચ્ચેથી રોક્યા જ્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. પીએમને મળવા માટે મક્કમ, AAP નેતાઓ રસ્તા પર જ બેસી ગયા છે. તેઓ ઊ-20 પેટ્રોલનો વિરોધ કરીને પીએમ મોદીને મેમોરેન્ડમ સુપરત કરવાનો ઇરાદો ધરાવે છે.
દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને પાર્ટીના કાર્યકરો સાથે, દિલ્હી પોલીસે ફિરોઝશાહ રોડ પર તેમને રોક્યા જ્યારે તેઓ ઇથેનોલ-મિશ્રિતE-20 પેટ્રોલ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મેમોરેન્ડમ સુપરત કરવા જઈ રહ્યા હતા. કોઈપણ ભોગે પ્રધાનમંત્રીને મળવાનો આગ્રહ રાખતા, કેજરીવાલ અને તેમના કાર્યકરોએ હવે રસ્તા પર ધરણા કર્યા છે.
કેજરીવાલ અને અઅઙ નેતાઓ પંડિત રવિશંકર શુક્લા લેનથી પીએમના નિવાસસ્થાન તરફ જવાનું શરૂૂ કર્યું હતું ત્યારે પોલીસે તેમને ફિરોઝશાહ રોડ પર થોડે દૂર રોક્યા. આ પછી, કેજરીવાલ અને તેમની સાથેના તમામ નેતાઓ અને કાર્યકરો ફિરોઝશાહ રોડ પર વિરોધ પ્રદર્શન માટે બેઠા. નોંધનીય છે કે દિલ્હી પોલીસે સોમવારે જ સ્પષ્ટતા કરી હતી કે 4 ઓગસ્ટે વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી પ્રસ્તાવિત કૂચ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી, અને કોઈપણ અનધિકૃત કૂચને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
શનિવારે, ’નેશનલ ટાઉન હોલ અગેઇન્સ્ટ E20’ ખાતે બોલતા, કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ 4 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે 100 સ્વયંસેવકો સાથે વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી કૂચ કરશે અને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો વિરોધ કરવા માટે – ઓનલાઈન ઝુંબેશ દ્વારા એકત્રિત કરાયેલા બે લાખ સહીઓ સાથે – એક મેમોરેન્ડમ સુપરત કરશે.કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ યુએસથી ઇથેનોલ ખરીદવાની સુવિધા આપવા માટે E-20 પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે તેમણે ગયા મહિને વડા પ્રધાનને પત્ર લખીને E-20 પેટ્રોલ અંગેની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતાં, તેઓ હવે વ્યક્તિગત રીતે વડા પ્રધાનને એક મેમોરેન્ડમ સુપરત કરશે.
