દેશના 89% સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શૌચાલય, પીવાના પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ : કોંગ્રેસના પ્રહાર
દેશ અને રાજ્યની જીવાદોરી સમાન રેલ્વેમાં પારાવાર મુશ્કેલી અને અસુવીધાઓ પર મહોર સમાન કેન્દ્ર સરકારનાં કેગનાં ઓડીટ રીપોર્ટનાં આંકડા સાથે સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રેલવે કરોડો સામાન્ય નાગરિકોની જીવાદોરી છે, આધુનિકરણના નામે રેલવે સ્ટેશનોને ભાજપ સરકારે લૂંટના કેન્દ્રો બનાવી દેવાયા છે. કેગના ઓડિટમાં તપાસાયેલા 512 સ્ટેશનોમાંથી 89 % સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, પીવાનું પાણી, ટોઇલેટ, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી મૂળભૂત પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સ્ટેશનોને કરોડોની આવક થાય છે અને જેને ’અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ આધુનિક બનાવવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે, ત્યાં પણ આ જ ખામીઓ જોવા મળી છે. અમદાવાદ રૂૂ.935 કરોડ અને સુરત રૂૂ.740 કરોડની વાર્ષિક કમાણી કરતા સ્ટેશનો સહિત ચાર મોટા અમૃત સ્ટેશનોમાં પણ શુદ્ધ પીવાના પાણી, શૌચાલય સહીતની પાયાની સુવિધાની ખામીઓ છે. આટલી મસમોટી કમાણી છતાં પાયાની સુવિધા ન આપી શકવી એ વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ મુસાફરો પ્રત્યેની ભાજપ સરકારની નિર્દય અને જાણી જોઈને કરવામાં આવેલી ઉપેક્ષા છે. વર્ષ 2014આ બુલેટ ટ્રેનનું સપનું દેખાડનાર મોદી સરકાર વર્ષ 2026માં સામાન્ય ટ્રેનનાં લાખો મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, પંખો સહિતની સુવિધા આપી શકતી નથી આ ડબલ એન્જીન નહિ ડબલ ફેલ્યુઅર સરકાર છે.
કેગના અહેવાલ અનુસાર કે છેલ્લા પાંચ વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી રૂૂ.11,479 કરોડ વણવપરાયેલા રહી ગયા. જે નાણાં યાત્રિકોની સુવિધા માટે વાપરવાના હતા, તે વપરાયા જ નહીં. અને હવે કેગનો રિપોર્ટ એ પણ ઉજાગર કરે છે કે વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડીને રેલવે સ્ટેશનોના ખાનગીકરણ તરફ આગળ વધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શું ભાજપ સરકાર જનતાની રેલવેને પોતાના મળતિયાઓને સોંપી દેવા માંગે છે?
ત્યારે ભારતીય રેલ્વેમાં ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના પેસેન્જરો પાસેથી આડેધડ ભાડા સહિતના બેફામ ચાર્જ વસુલાતનો હિસાબ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટના દરમાં સતત વધારો કરાયો છે 2012માં રૂૂ.3 થી રૂૂ.5 અને 2015માં રૂૂ.5 થી રૂૂ.10 અને કોવિડકાળ દરમિયાન તો કેટલાય ડિવિઝનોમાં તે રૂૂ.50 સુધી વસૂલાયું હતું. એકલા 2019-20માં જ પ્લેટફોર્મ ટિકિટમાંથી રૂૂ.160.87 કરોડની આવક થઈ હતી, પરંતુ સામે યાત્રિકોને પ્લેટફોર્મ પર બેસવાની જગ્યા કે પીવાનું પાણી સુદ્ધાં નસીબ નથી થતું.
વર્ષ 2015માં કેન્સલેશન ચાર્જ સીધા બમણા કરી દેવાયા. સ્લીપર ક્લાસમાં રૂૂ. 60 થી રૂૂ.120 અને એસી ફર્સ્ટ ક્લાસમાં રૂૂ.120 થી રૂૂ.240 અને એપ્રિલ 2026થી નિયમો વધુ કડક બનાવાયા છે. માત્ર ચાર વર્ષમાં કેન્સલેશન ચાર્જ પેટે ભાજપ સરકારે યાત્રિકો પાસેથી રૂૂ.6,112 કરોડ ખંખેરી લીધા છે. આ કોઈ સેવા ચાર્જ નથી, આ યાત્રિકોના ખિસ્સા પર સુધી લુંટ છે. એક તરફ સરકાર મુસાફરો પાસેથી પ્લેટફોર્મ ટિકિટ, કેન્સલેશન ચાર્જ, છૂટ છીનવીને અને ભાડા વધારા મારફતે સતત વધુ ને વધુ પૈસા વસૂલી રહી છે, અને બીજી તરફ પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ કોઈ નાણાંની અછત નથી, આ ઈરાદાપૂર્વકની બેદરકારી અને ખોટા અગ્રતાક્રમનું પરિણામ છે.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે કેગનાં રિપોર્ટ ઉજાગર કરેલ ગંભીર ખામીઓ, નાણાંકીય ગેરીરીતી સહિતની બાબતો અંગે ભાજપ સરકાર જવાબ આપે, તમામ રેલવે સ્ટેશનો પર પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે, વરિષ્ઠ નાગરિકોની ભાડા છૂટ તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં આવે, વણવપરાયેલા રૂૂ.11,479 કરોડનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે અને એ ભંડોળ સુવિધા માટે તાત્કાલિક વપરાય, રેલવે સ્ટેશનોના ખાનગીકરણ અને પસંદગીના કોન્ટ્રાક્ટરોને લાભ આપવાના પ્રયાસો તાત્કાલિક બંધ કરાય, રેલવેની સતત દુર્દશા અને યાત્રિકોની ઉપેક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે મંત્રી રાજીનામું આપે તેમ અંતમાં ડો. મનીષ દોશી મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.
