જુનાગઢ
જૂનાગઢના બીલખામાં યુવકને દારૂડિયો કહી ગાળો ભાંડી બે શખ્સોએ માર માર્યો
જૂનાગઢના બીલખામાં રહેતા યુવકને દારૂૂડિયો કહી ગાળો ભાંડી હતી. યુવાને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ ખેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના બિલખામાં આવેલા આંબેડકરનગરમાં રહેતા જીગ્નેશ ચંદુભાઈ વાળા નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં જ રહેતા મયુર સોલંકી સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશ વાળા બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત છે મિત્રના ઘર પાસે હતો ત્યારે મયુર સોલંકીએ દારૂૂડિયો આવ્યો તેમ કહેતા જીગ્નેશ વાળાએ તું મને શું કામ દારૂૂડિયો કહે છે તેમ કહેતા મયુર સોલંકીએ ગાળો ભાંડી હતી જેથી જીગ્નેશ વાળાએ ગાળો દેવાની ના પાડતા મયુર સોલંકી સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં થાનગઢમાં આવેલા આંબેડકરનગરમાં રહેતી લતાબેન જીગ્નેશભાઈ ચાવડા નામની 23 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું લતાબેન ચાવડાને ઝેરી અસર તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. થાનગઢમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ પીધુ
ગુજરાત
જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં દુષ્કર્મ મામલે વધુ 4ની ધરપકડ
સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં કુલ 10ની ધરપકડ
જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઇ જઇને તપાસ શરૂૂ કરી હતી. આ ગુનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખના 4 દિવસના રીમાન્ડ પૂરા થતાં બેયને જેલ હવાલે કરાયા છે.
આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઇ સાપરા, જસ્મીન દિનેશભાઇ મકવાણા અને હાર્દિક દિપકભાઇ ઝાપડાના રીમાન્ડ હજી ચાલુ હોઇ તેઓની પુછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના બીજા 4 શખ્સો સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત અને કૃપાલ કિશોરભાઇ ટીમાણીયાને ઝડપી લીધા છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
વંથલીમાં દાદી સાથે સૂતેલી સગીરા સાથે છેડતી કરનાર શખ્સ પકડાયો
આરોપીને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ
વંથલીના એક ગામે રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરે સૂતી હતી, ત્યારે આરોપીએ આવી સુતેલી સગીરાનું ગોદડું ખેચ્યું હતું. જોકે, દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીની એક યુવાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી વંથલી પોલીસ દ્વારા પોક્સો તેમજ છેડતીની કલમનો યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર યુવાનને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે માણાવદર તાલુકાના સીપીઆઈ અને વંથલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના એક ગામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. આરોપી સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી. જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માણાવદરના સીપીઆઈ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ઈઙઈં દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આ આરોપી જ્યારે સગીરા ગામમાં નીકળતી હતી ત્યારે અવારનવાર ખરાબ નજરે તેની સામે જોતો હતો અને રાત્રિના સમયનો લાભ લઇ આ આરોપી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. જેને લઇ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો