ગોળીએ નહીં મરે તો પહેલગામના આતંકીઓને ભુખે તડપાવાશે

છુપાયેલા આતંકીઓને ખાવાના સાંસાં, સુરક્ષાદળો ગાઢ જંગલો ફેંદી પીછો કરી રહ્યા છે સુરક્ષા દળોએ એવા આતંકવાદીઓની આસપાસ સકંજો કડક કરી દીધો છે જેઓ પહેલગામની બૈસરન…

છુપાયેલા આતંકીઓને ખાવાના સાંસાં, સુરક્ષાદળો ગાઢ જંગલો ફેંદી પીછો કરી રહ્યા છે

સુરક્ષા દળોએ એવા આતંકવાદીઓની આસપાસ સકંજો કડક કરી દીધો છે જેઓ પહેલગામની બૈસરન ખીણમાં ઉજવણી કરવા ગયેલા પ્રવાસીઓને તેમના પરિવારોની સામે તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળીબાર કરતા હતા. છેલ્લા 10 દિવસમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ઘણી પ્રગતિ થઈ છે. બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આમાં મળેલા ઇનપુટ્સના આધારે, આતંકવાદીઓની શોધ ચાલુ છે. સેના અને અન્ય સુરક્ષા દળોની સતર્કતાને કારણે, ગાઢ જંગલોમાં બનેલી ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ચારેય આતંકવાદીઓ ગાઢ જંગલોમાં છુપાયેલા હોવાની શંકા પહેલા દિવસથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી આશંકા છે કે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઘૠઠ) અને કુદરતી ગુફાઓ હુમલાખોરોને મદદ કરી રહ્યા છે. આતંકવાદી હુમલા અંગે અત્યાર સુધી મળેલી માહિતી અને ગુપ્તચર માહિતીના આધારે, સુરક્ષા દળોએ કુપવાડા, હંદવાડા, અનંતનાગ, ત્રાલ, પુલવામા, સોપોર, બારામુલ્લા અને બાંદીપોરામાં દેખરેખ વધારી દીધી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી કાશ્મીરના દક્ષિણ અને કેટલાક ઉત્તરીય ભાગોમાં જે રીતે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તે પછી એ નિશ્ચિત માનવામાં આવે છે કે બૈસરનમાં લોહી વહેવડાવનારાઓ બચી શકશે નહીં.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકવાદીઓ અનંતનાગના ગાઢ જંગલો અને કુદરતી ગુફાઓમાં છુપાયેલા હોઈ શકે છે. તેથી, સમગ્ર કામગીરી અત્યંત સાવધાની સાથે આગળ વધી રહી છે. ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સારી રીતે તાલીમ પામેલા છે. એટલા માટે તેઓ આ ગુફાઓમાં આશરો લઈ રહ્યા છે.

આ આતંકવાદીઓને ગોળી મારવાની અથવા ભૂખથી મરી જવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓનો અંદાજ છે કે આતંકવાદીઓ કદાચ એક અઠવાડિયાથી વધુ સમય સુધી ટકી રહે તે માટે પૂરતો રાશન લાવ્યા હશે.

આતંકવાદી હુમલાના 10 દિવસ પછી, તેના અંતની શક્યતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં, તેમની ભૂખ તેમને બહાર આવવા માટે મજબૂર કરી શકે છે.

પાકિસ્તાન દ્વારા સતત નવમા દિવસે કજ્ઞઈ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર સહિત નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *