આસામમાં ભયાનક ટ્રેન અકસ્માત: રાજધાની એક્સપ્રેસની અડફેટે 8 હાથીના મોત, 5 કોચ પાટા પરથી ઉતરી ગયા

  આસામમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જમુનામુખ જિલ્લાના સનારોજા વિસ્તારમાં નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક…

 

આસામમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જમુનામુખ જિલ્લાના સનારોજા વિસ્તારમાં નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જયારે 8 હાથીઓના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે ઘણા હાથી ઘાયલ થયા છે.

https://x.com/PTI_News/status/2002214406852374561?s=20

અકસ્માત બાદ, આ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે લોકો પાઇલટે ટોળાને જોતા જ ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન હાથીઓ સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તાર જંગલી વિસ્તાર છે, અને ક્યારેક હાથીઓના ટોળા જંગલમાંથી બહાર નીકળીને રેલ્વે ટ્રેકમાં પ્રવેશ કરે છે.

અહેવાલો અનુસાર, ટ્રેન દ્વારા અથડાયેલા હાથીઓના શરીરના ભાગો રેલ્વે ટ્રેક પર વિખેરાઈ ગયા હતા. પરિણામે, આ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ટક્કર બાદ, ટ્રેન જોરદાર ધક્કામુક્કીથી ધ્રુજી ઉઠી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. ઘણા લોકો પોતાની સીટ પરથી પડી ગયા. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ મુસાફરોને ગંભીર ઈજા થઈ નથી.

ટ્રેન ગુવાહાટી માટે રવાના

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં રહેલા મુસાફરોને બાકીના કોચમાં ખાલી બર્થમાં ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત કોચને અલગ કર્યા પછી, ટ્રેન ગુવાહાટી માટે રવાના થઈ. ગુવાહાટી પહોંચ્યા પછી, મુસાફરોની સુવિધા માટે વધારાના કોચ ઉમેરવામાં આવશે. ત્યારબાદ ટ્રેન તેની મુસાફરી ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *