પૂર્વ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ નહીં કરાતા હાઈકોર્ટ નારાજ, કેસ રદ કરવાની અરજી પણ ફગાવી

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ 2018માં જૂનાગઢ જિલ્લામાં હાઇવે બ્લોક કરવા અને પથ્થરમારા કરવાના કેસમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ ન કરવા…

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ 2018માં જૂનાગઢ જિલ્લામાં હાઇવે બ્લોક કરવા અને પથ્થરમારા કરવાના કેસમાં પોલીસ દ્વારા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ધરપકડ ન કરવા બદલ પઆઘાતથ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં 39 વ્યક્તિઓ આરોપી હતા ત્યારે પોલીસે ચાવડાની ધરપકડ કરી નહોતી. ચાવડાએ તેમની સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવા માટે અરજી દાખલ કરી હતી તે ફગાવી દેવાઈ હતી. કેસની ચાર્જશીટમાં ચાવડાને પફરારથ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને ગાંધીનગરમાં રાજ્ય સચિવાલયમાં કેબિનેટ મંત્રી તરીકે ઉપલબ્ધ હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. હાઈકોર્ટે આખરે તેમની સામેનો કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ ક્યારેય તપાસમાં જોડાયા ન હતા અને પોલીસે તેમની સાથે પસૌહાર્દપૂર્ણ અને વિશિષ્ટથ વર્તન કર્યું હતું અને કેસ ગૃહ વિભાગ (પોલીસના કૃત્ય બાબતે) ને રિફર કર્યો હતો.ન્યાયાધીશ મહેતાએ પોલીસ અને રાજકીય નેતાની મિલીભગતની નોંધ લીધી.

અને જણાવ્યું કે, આ કોર્ટ હાલના અરજદાર (ચાવડા) અને પોલીસ અધિકારીઓ વચ્ચેની સ્પષ્ટ મિલીભગતની કડવી હકીકતનો પુનરોચ્ચાર કરવા માંગે છે, જેમાં કોઈ પણ કારણ વગર, હાલના અરજદારને ઘટના સ્થળે અટકાયતમાં લેવામાં આવ્યા હોવા છતાં, કોઈપણ ઔપચારિક ધરપકડ વિના સરળતાથી જવા દેવામાં આવ્યા હતાં.

વધુમાં, હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, સ્થાનિક વિસ્તારમાં તેમજ ગુજરાત રાજ્યના સચિવાલયમાં કેબિનેટ મંત્રી તરીકે ખૂબ જ ઉપલબ્ધ હોવા છતાં, સમગ્ર ધરપકડ માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા ન હતા અને ફક્ત સુવિધા ખાતર, હાલના અરજદારનું નામ ચાર્જશીટના કોલમ નંબર 2 માં દર્શાવવામાં આવ્યું છે જેમાં તેને ભાગેડુ તરીકે નામ દર્શાવવામાં આવ્યું છે.સ્ત્રસ્ત્ર
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, તેથી, આ કોર્ટ, તેમના વિરુદ્ધ કેસ પડતો મૂકવા માટે તેના અંતર્ગત અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને આવા (પોલીસના) અનુકૂળ ડિઝાઇનનો ભાગ બનવા માંગતી નથી.

આ કોર્ટને મજબૂત લાગણી છે કે હાલના અરજદારે આ કોર્ટનો સંપર્ક સંપૂર્ણપણે સ્વચ્છ હાથે કર્યો નથી, તેથી, હાલના અરજદાર કોઈપણ અસાધારણ રાહત માટે હકદાર નથી.હાઈકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, આ કોર્ટ સભાનપણે હાલના અરજદાર સામે કથિત સમાન ગુના માટે કેસનો સામનો કરી રહેલા અન્ય 39 આરોપીઓ પ્રત્યે વિશિષ્ટ વર્તન આપીને હાલના અરજદારની તરફેણમાં તેના અંતર્ગત અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. જો ઇગજજ, 2023 ની કલમ 528 (કેસ રદ કરવા) હેઠળ હાલના અરજદારને કોઈ રાહત આપવામાં આવે તો તે ચોક્કસપણે જનતાને ખોટો સંકેત આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *