તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી બહુ-પક્ષીય બેઠકમાં ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ડીએમડીકે સહિત કુલ 44 રાજકીય પક્ષોએ હાજરી આપી હતી, જ્યારે અઈંઅઉખઊં અને ભાજપને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં આ સુધારણા પ્રક્રિયાને ‘લોકશાહી વિરોધી’ ગણાવવામાં આવી છે અને ચેતવણી આપી છે કે તેનાથી 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી શકે છે.ઠરાવમાં ચૂંટણી પંચ પર ‘કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ભાજપના હાથની કઠપૂતળી’ તરીકે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પક્ષોએ દાવો કર્યો છે કે આ સુધારણા દ્વારા લઘુમતીઓ અને વિપક્ષ તરફ ઝુકાવ ધરાવતા મતદારોના મતાધિકાર છીનવી લેવાનું જોખમ છે.
તમિલનાડુમાં 6.36 કરોડ મતદારો છે. પક્ષોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના માત્ર 30 દિવસના ટૂંકા ગાળામાં આટલા મોટા પાયે ચકાસણી કેવી રીતે શક્ય છે. આગેવાની હેઠળની સરકારે ધ્યાન દોર્યું છે કે સુધારણાનો સમયગાળો ઉત્તર-પૂર્વ ચોમાસા સાથે એકસાથે આવે છે, જેના કારણે ગ્રામીણ મતદારો અને અધિકારીઓ માટે પ્રક્રિયાનું પાલન કરવું મુશ્કેલ બનશે.
આધારનો મુદ્દો: ઠરાવમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઊઈઈં દ્વારા આધાર કાર્ડ સંબંધિત દસ્તાવેજીકરણની જરૂૂરિયાતો અને પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી નથી, જેનો હેતુ સાચા મતદારોના નામ દૂર કરવાનો હોવાનું જણાય છે.
આ નિર્ણય સાથે, તમિલનાડુના 44 પક્ષોએ ચૂંટણી પંચની આ સુધારણા પ્રક્રિયાને રદ કરવા અને હાલની નિયમિત મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને જ ચાલુ રાખવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે.
