એસ્સાર ગ્રૂપના સહસ્થાપક શશી રૂઇયાનું જૈફ વયે નિધન

દેવું થઇ જતાં ઓઇલ રિફાઇનરી વેચવી પડી હતી એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 25 નવેમ્બર, 2024ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. શશિ…

દેવું થઇ જતાં ઓઇલ રિફાઇનરી વેચવી પડી હતી

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 25 નવેમ્બર, 2024ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. શશિ રુઈયાના પાર્થિવ દેહને આજ રોજ બપોરે 1 થી 3 દરમિયાન રૂૂઈયા હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અને સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક શશિ રુઈયાએ 1965માં તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ કારકિર્દીની શરૂૂઆત કરી હતી. 1969માં શશિ રુઈયાએ તેમના ભાઈ રવિ રુઈયા સાથે મળીને એસ્સાર ગ્રુપની સ્થાપના કરી. કંપનીએ ચેન્નાઈ પોર્ટ ખાતે બાહ્ય બ્રેકવોટરના બાંધકામ સાથે તેની કામગીરી શરૂૂ કરી હતી.


1990ના દાયકામાં એસ્સારે તેની કામગીરી સ્ટીલ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં વિસ્તારી. તેમણે હચીસન સાથે સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કર્યો. એસ્સાર ગ્રુપે ઓઇલ રિફાઇનરી અને ભારતનું બીજું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર બનાવ્યું. રશિયાના રોઝનેફ્ટની આગેવાની હેઠળના ક્ધસોર્ટિયમને ઓઇલ રિફાઇનરી વેચી દીધી હતી અને બાકી લોન વસૂલવા માટે નાદારીની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી ત્યારે તેમણે સ્ટીલ પ્લાન્ટ આર્સેલર મિત્તલને સોંપવો પડ્યો હતો.


રુઈયા અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોના સભ્ય હતા. તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ)ની મેનેજિંગ કમિટીમાં હતા. તેઓ ભારત-અમેરિકા જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *